લગ્ન જીવનનાં 18 વર્ષ બાદ ફરદીન ખાન અને નતાશા ડિવોર્સ લેશે?

90ના દશકનો એક્ટર ફરદીન ખાન જે ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતો તે અચાનક જ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લગ્ન જીવનના 18 વર્ષ બાદ ફરદીન ખાન અને પત્ની નતાશા માધવાની ડિવોર્સ લેશે તેવી વાતો વહેતી થઈ છે. આવા અહેવાલોની વચ્ચે ફરદીનનો ખાનનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ફરદીન ખાન કહી રહ્યો […]

Share:

90ના દશકનો એક્ટર ફરદીન ખાન જે ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતો તે અચાનક જ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લગ્ન જીવનના 18 વર્ષ બાદ ફરદીન ખાન અને પત્ની નતાશા માધવાની ડિવોર્સ લેશે તેવી વાતો વહેતી થઈ છે. આવા અહેવાલોની વચ્ચે ફરદીનનો ખાનનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ફરદીન ખાન કહી રહ્યો છે કે, ‘મારા માટે મારી પત્ની અને બાળકો જ મારી દુનિયા છે.’

એક વર્ષથી બંને અલગ રહે છે

2015માં ફરદીન અને નતાશાએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. ઈટાઈમ્સના અહેવાલ મુજબ, હવે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. એક અહેવાલ અનુસાર, ફરદીન ખાન અને નતાશા માધવાણીએ નિર્ણય લીધો છે કે તેઓ તેમના 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માંગે છે. બંને હવે અલગ થવા માંગે છે. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે અંતર આવી ગયું છે, તે હજુ સુધી જાહેર કર્યું નથી.  આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે બંનેના ફેન હાલ તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

તેમને બે સંતાનોમાં એક પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તેમાંથી દિયાની ઈશાબેલાની ૧૦ વર્ષની છે જ્યારે અઝારિસની 6 વર્ષનો છે. ફરદીને અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર નતાશાને માતા બનવામાં બહુ તકલીફ પડી હતી અને તેમણે આઈવીએફનો સહારો લીધો હતો. તે પછી નતાાશાની તબિયત પર માઠી અસર થઈ હતી. બંને વચ્ચે વિખવાદ શરુ થયા બાદ પરિવારજનોએ મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.  

નતાશા માધવાની 70-80ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. મુમતાઝે વર્ષ 1974માં મયુર માધવાની સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ તાન્યા અને નતાશા છે. નતાશાએ વર્ષ 2005માં ફરદીન ખાન સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 

ફરદીન ખાન અગાઉ ડ્રગ્સ કાંડમાં સપડાયો તે પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. જોકે, હવે તે ‘વિસ્ફોટ’ નામની ફિલ્મથી પુનરાગમન કરી રહ્યો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેને ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં પણ ફરીથી પસંદ કરાયો હોવાનું કહેવાય છે.