Amitabh Bachchanએ Aishwarya Raiને ઈન્સ્ટાગ્રામ પર કરી અનફોલો, શું છે કારણ?

Amitabh Bachchan On Aishwarya Rai: અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, બચ્ચને ઐશ્વર્યા રાયને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમિતાભ બચ્ચન ઐશ્વર્યા રાયને નથી કરતા ફોલો
  • ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં નથી કરતા ફોલો
  • કે પછી પહેલીથી જ આ રીતે છે સ્થિતિ

નવી દિલ્હીઃ બીગ બી પોતાના કરીયર સિવાય એકજૂટ બચ્ચન પરિવારના કારણે પણ અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે. પરંતુ હવે અમિતાભ બચ્ચનનું નામ બીજા કોઈ કારણોસર ચર્ચામાં આવ્યુ છે. અમિતાભ બચ્ચને તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી છે. બીગ બી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ તેમના 36.3 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય 74 લોકોને તેઓ ફોલો બેક કરે છે. ખાસ વાત એ છે કે, આ તમામમાં અભિષેક બચ્ચન અને ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ છે. 

ઐશ્વર્યા રાયને કરી અનફોલો 
બીગ બી ઈન્સ્ટાગ્રામ પર 74 લોકોને ફોલો કરે છે. પણ તેમાં ક્યાંય ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ નથી. જો કે, આ મામલે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી શકાય એમ નથી. જો કે, એ પણ સ્પષ્ટપણે કહી શકાય નહીં કે કયા કારણોસર તેઓએ આવું કર્યુ છે. પરંતુ આ પછી અનેક તર્ક વિતર્કો અને અટકળો થઈ રહી છે. 

ધ આર્ચીઝનું પ્રીમિયમ
તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની પૌત્રી અગત્સ્ય નંદાની પહેલી ફિલ્મ ધ આર્ચીઝનું પ્રીમિયમ યોજાયું હતું. આખો બચ્ચન પરિવાર આમાં હાજર રહ્યો હતો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્ય બચ્ચન, નિખિલ નંદા, શ્વેતા બચ્ચન વગેરે લોકો હાજર રહ્યા હતા. 

શું છે કારણ?
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનને ઐશ્વર્યા રાયને ક્યારેય પણ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા નથી. જ્યારે ઐશ્વર્યા રાયનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો એ પણ ઈન્સ્ટાગ્રામ પર માત્ર તેના પતિ અભિષેકને જ ફોલો કરે છે. હવે આ બધુ ઘરમાં કોઈ વિવાદને કારણે છે કે પછી પહેલેથી જ આ રીતે છે. એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે.