Animalમાં ગીતાંજલિના રોલ પર રશ્મિકા મંદાનાએ કહી એક મહત્વની વાત

Rashmika Mandanna On Animal: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હાલ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચારેકોર ફેન્સ આ ફિલ્મ અને રણબીર કપૂર તથા બોબી દેઓલની પ્રશંસા કરી રહ્યાં છે. ત્યારે રશ્મિકા મંદાનાએ ગીતાંજિલને લઈ એક પોસ્ટ શેર કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગીતાંજલિ માટે રશ્મિકા મંદાનાએ કરી મોટી વાત
  • એક નોટ શેર કરીને ગીતાંજલિ વિશે લખી વાત
  • ફિલ્મે આખા વિશ્વમાં 500 કરોડની કમાણી કરી છે

નવી દિલ્હીઃ રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે આખી દુનિયામાં 500 કરોડની કમાણી કરી છે. ભારતમાં 350 કરોડનો આંકડો પાર ચૂકી છે. જો કે, આ ફિલ્મના કેરેક્ટર્સને ગુસ્સાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પોતાના રોલ વિશે રશ્મિકા મંદાનાએ એક પોસ્ટ દ્વારા પોતાની વાત રજૂ કરી છે. 

શું લખ્યું છે?
રશ્મિકાએ પોતાની નોટમાં લખ્યું છે કે, ગીતાંજલિ.. જો હું એના વિશે એક વાક્યમાં વાત કરું તો...તે ઘરમાં પોતાના પરિવારને એક સાથે રાખનારી એકમાત્ર પાવર છે. તે પ્યોર, અનફિલ્ટર્ડ, મજબૂત અને રો છે. એક એક્ટર તરીકે હું ગીતાંજલિને કેટલાંક કામો પર સવાલો ઉઠાવું છું. મને યાદ છે કે, મારા નિર્દેશકે મને કહ્યું હતું કે, આ તેમની સ્ટોરી હતી. રણવિજય અને ગીતાંજલિની... આ તેમનો પ્રેમ અને જૂનુન હતું. તેમનો પરિવાર અને તેમનું જીવન, આ જ એ. 

હિંસા વિશે કરી વાત 
રશ્મિકા મંદાના આગળ લખે છે કે, તમામ પ્રકારની હિંસા, ઈજા અને અસહનીય દર્દથી ભરેલી દુનિયામાં ગીતાંજલિ શાંતિ અને વિશ્વાસ લાવશે. તે પોતાના પતિ અને બાળકોને સુરક્ષિત રાખવા માટે પોતાના ભગવાનને પ્રાર્થના કરશે. તે પથ્થર જેવી છે તમામ પ્રકારનો સામનો કરશે. તે પરિવાર માટે પોતાની છેલ્લી શક્તિ માટે કંઈ પણ કરી શકે છે. મારી નજરમાં ગીતાંજલિ એકદમ સુંદર છે. તે મજબૂતીથી ઉભી છે અને દિવસે ને દિવસે પોતાના પરિવારની રક્ષા કરે છે.