પ્રભાસનું ફેસબુક પેજ હેક થયું, હેકર્સે અનલકી હ્યુમન્સ કેપ્શન સાથે વીડિયો પોસ્ટ કર્યો

અભિનેતા પ્રભાસ, જે હાલમાં નાગ અશ્વિનની કલ્કી 2898 ADના શૂટિંગમાં વ્યસ્ત છે, તેણે શુક્રવારે ચાહકોને જાણ કરી કે તેનું ફેસબુક પેજ હેક થયું છે. ગુરુવારે રાત્રે, તેના ફેસબુક પેજની ટાઈમલાઈન પર “અનલકી હ્યુમન્સ” અને “બોલ ફેઈલ્સ અરાઉન્ડ ધ વલ્ડ” કેપ્શન સાથે બે વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યા બાદ અભિનેતાનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું હતું. […]

Share:

અભિનેતા પ્રભાસ, જે હાલમાં નાગ અશ્વિનની કલ્કી 2898 ADના શૂટિંગમાં વ્યસ્ત છે, તેણે શુક્રવારે ચાહકોને જાણ કરી કે તેનું ફેસબુક પેજ હેક થયું છે. ગુરુવારે રાત્રે, તેના ફેસબુક પેજની ટાઈમલાઈન પર “અનલકી હ્યુમન્સ” અને “બોલ ફેઈલ્સ અરાઉન્ડ ધ વલ્ડ” કેપ્શન સાથે બે વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યા બાદ અભિનેતાનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું હતું. હવે, પ્રભાસે આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “બધાને નમસ્કાર, મારા ફેસબુક પેજ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ટીમ આ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. “

ફેસબુક પેજ રીસ્ટોર થયું

પરિસ્થિતિથી અજાણ, ટીકાકારોએ પ્રભાસને કથિત રૂપે “અનલકી હ્યુમન્સ” કેપ્શન સાથે વિડિઓ પોસ્ટ કરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જો કે, વિડિઓઝ હવે અભિનેતા પ્રભાસની ટાઈમલાઈનમાંથી દૂર કરવામાં આવ્યા છે અને લાગે છે કે તેની ટીમે તેનું પેજ રીસ્ટોર કર્યું છે.

આ દરમિયાન, એવી અફવા છે કે પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત કલ્કી 2898 AD પાર્ટ 1, જે અગાઉ પ્રોજેક્ટ K તરીકે જાણીતી હતી, તે હાલમાં મુલતવી રાખવામાં આવી છે. ગયા અઠવાડિયે સાન ડિએગો કોમિક-કોન ખાતે લોન્ચ કરાયેલી આ ફિલ્મ હાલમાં જાન્યુઆરી 2024માં રિલીઝ થવાની છે. જો કે, હવે એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ નિર્માતા 2024ના ઉનાળા સુધી ફિલ્મની રિલીઝ કરી શકે છે.

એક અહેવાલ મુજબ, પ્રોજેક્ટ k ઉર્ફે કલ્કી 2898 AD પાર્ટ 1ને 9 મે સુધી આગળ ધકેલવામાં આવી શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ તારીખ ફિલ્મના નિર્માતા, અશ્વિની દત્ત માટે શુભ છે. તેલુગુ ઈન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે 9 મેનો દિવસ ફિલ્મ નિર્માતા માટે શુભ રહ્યો છે. તેમની ફિલ્મો જગદેકા વીરુદુ અતિલોકા સુંદરી અને મહાનાતી 9 મેના રોજ રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર તરીકે ઉભરી હતી. આને કારણે, અશ્વિની પ્રોજેક્ટ Kની રજૂઆત 9 મે સુધી વિલંબિત કરે તેવી શક્યતા છે.

પ્રભાસની તાજેતરની ફિલ્મ આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું હતું, પરંતુ હિન્દુ પૌરાણિક મહાકાવ્યના ખોટા ચિત્રણ માટે તેની ભારે ટીકા કરવામાં આવી હતી. સંવાદો અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે ફિલ્મની મોટાભાગે ટીકા કરવામાં આવી હતી. રાવણ અને હનુમાન સહિતના મુખ્ય પાત્રોના પાત્રાલેખન સામે પણ ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. નિર્માતાઓએ રિલીઝના એક અઠવાડિયાની અંદર ફિલ્મમાં મોટા ફેરફારો કરવા પડયા હતા. લેખક મનોજ મુન્તાશીરે ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પ્રેક્ષકોની માફી પણ માંગી હતી.

પ્રભાસ હવે બીજી એક્શન ફિલ્મ સલાર પાર્ટ 1: સીઝફાયરની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. (KGF ફેમ) પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત, આગામી ફિલ્મમાં શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે. તે 28 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.