કિયારા અડવાણીએ સિદ્ધાર્થ સાથે લગ્ન બાદ પ્રથમ રસોઈમાં બનાવેલી વાનગી પરથી ઉઠ્યું સસ્પેન્સ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીએ ડ્રીમ લગ્ન કર્યા હતા.   લગ્ન બાદ કિયારા અડવાણીએ તેની પહેલી રસોઇમાં શું બનાવ્યુ હતુ? આ વાનગી જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે. આ વાનગી સાથે કિયારાએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના ભરપૂર વખાણ કર્યા છે. કિયારા અડવાણીનો ચોંકાવનારો ખુલાસો કિયારા અડવાણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતુ. જેમાં […]

Share:

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીએ ડ્રીમ લગ્ન કર્યા હતા.   લગ્ન બાદ કિયારા અડવાણીએ તેની પહેલી રસોઇમાં શું બનાવ્યુ હતુ? આ વાનગી જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે. આ વાનગી સાથે કિયારાએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના ભરપૂર વખાણ કર્યા છે.

કિયારા અડવાણીનો ચોંકાવનારો ખુલાસો

કિયારા અડવાણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતુ. જેમાં એક પત્રકારે કિયારાને પ્રશ્ન પૂછયો હતો કે, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન પછી તેણે પહેલી રસોઇમાં કંઇ વાનગી બનાવી હતી? આ સવાલનો જવાબ હસતા ચેહરે આપતા કિયારા અડવાણીએ કહ્યું હતું કે, મેં હજુ સુધી કંઇ બનાવ્યું નથી, બસ પાણી ગરમ કર્યું હશે.

કપલ સોશિયલ લાઈફમાં એકબીજાના વખાણ કરવાનું ક્યારેય ભૂલતા નથી. ઈન્ટરવ્યૂમાં  પોતાની જાતને ભાગ્યશાળી ગણાવતા કિયારાએ કહ્યું કે, તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ એક ઉત્તમ કુક છે. તેથી હું નસીબદાર છું કે મારા પતિને રસોઈ બનાવવાનું પસંદ છે. જેને પગલે તે કંઇને કંઇ રાંઘી લે છે અને હું ખાઇ લઉ છું. આ સાથે કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે, ખરેખર સિદ્ધાર્થ મલ્હોત્રા બહુ સરસ રોટલી બનાવે છે, રોટલી બનાવવી ભારે કામ છે, પરંતુ તેઓ ખુબ સારી રોટલી બનાવે છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બી ટાઉનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. આ યુગલે તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અને ઓફ સ્ક્રીન રોમાન્સથી લાખો લાકોના દિલ જીત્યાં છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ ભવ્ય લગ્ન કરીને પોતાની પ્રેમ કહાનીને મંઝીલ આપી દીધી હતી. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ડ્રીમ વેડિંગ કર્યા હતા.

બંનેના લગ્નની તસવીરોએ ઈન્સ્ટાગ્રા મ પર સૌથી વધારે લાઈક્સ મેળવી હતી. ફિલ્મ ‘શેરશાહ’થી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. રીલ લાઈફમાં તો બંનેની લવ સ્ટોરી અધૂરી રહી જાય છે પરંતુ રિયલ લાઈફમાં હાલ બંને હેપ્પીલી મેરિડ કપલ છે. 

બોલિવુડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણીએ ગયા મહિને જ તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. કિયારા અડવાણીનો જન્મ તારીખ 31 જુલાઈ 1991માં મહારાષ્ટ્રના બોમ્બેમાં થયો હતો. કિયારા અડવાણી હિન્દી સિનેમા ઉપરાંત તેલુગુ ફિલ્મમાં કામ કરે છે. તેણે વર્ષ 2014માં કોમેડી ફિલ્મ ‘ફગલી’થી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાની શરુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સસ્ટ સ્ટોરીઝ’માં પણ શાનદાર ભૂમિકા નિભાવી હતી. કિયારાએ ‘કબીર સિંઘ’, ‘ગુડ ન્યૂઝ’, ‘શેરશાહ’, ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘જુગજુગ જિયો’માં અભિનય કર્યો છે.