ઈકોનોમી ક્લાસમાં જયપુર પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા, લગ્નમાં પ્રિયંકા ચોપરા નહીં રહે હાજર

અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરના ધ લીલા પેલેસ ખાતે લગ્નના બંધનથી બંધાશે. લગ્ન પહેલાની તૈયારીઓ અને કાર્યક્રમો માટે પરિણીતિ ચોપરાનો પરિવાર અંબાલા છાવણીથી ઉદયપુર પહોંચ્યો છે. આ પ્રસંગ માટે ખૂબ સીમિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ રિસેપ્શનમાં સૌને આમંત્રિત કરવામાં આવશે.  પરિણીતિ ચોપરા અને […]

Share:

અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરના ધ લીલા પેલેસ ખાતે લગ્નના બંધનથી બંધાશે. લગ્ન પહેલાની તૈયારીઓ અને કાર્યક્રમો માટે પરિણીતિ ચોપરાનો પરિવાર અંબાલા છાવણીથી ઉદયપુર પહોંચ્યો છે. આ પ્રસંગ માટે ખૂબ સીમિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ રિસેપ્શનમાં સૌને આમંત્રિત કરવામાં આવશે. 

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા પોતાના લગ્નના ગ્રાન્ડ સેલિબ્રેશન માટે શુક્રવારના રોજ દિલ્હીથી જયપુર રવાના થયા હતા. પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર સ્પોટ થયા હતા. વાયરલ તસવીરો પ્રમાણે તેઓ બંને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરીને જયપુર પહોંચ્યા હતા. 

પ્રિયંકા ચોપરા નહીં આપે હાજરી

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં જે ખાસ મહેમાનની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે હવે હાજરી નહીં આપે. પરિણીતિ ચોપરાની પિતરાઈ અને હવે ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી આ તરફ ઈશારો કર્યો છે. પ્રિયંકા ચોપરાએ પરિણીતિ ચોપરાને તેની નવી સફર માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. 

પ્રિયંકા ચોપરાએ બહેન પરિણીતિ ચોપરા માટે લખ્યું હતું કે, “મને આશા છે કે, તું તારા સૌથી ખાસ અને મહત્વના દિવસ માટે પણ આ રીતે ખુશ અને સંતુષ્ટ હોઈશ. હું હંમેશા તારા માટે ખૂબ બધો પ્રેમ ઈચ્છું છું. હેશટેગ ન્યૂ બિગિનિંગ.” પ્રિયંકા ચોપરાએ રેડ હાર્ટ ઈમોજી સાથે પરિણીતિ ચોપરાને ટેગ કરી હતી. આમ પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ દ્વારા તે પરિણીતિ ચોપરાના લગ્નમાં હાજરી નહીં આપી શકે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. 

દિલ્હી ખાતે પરિણીતિ ચોપરાની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેણે રાઘવ ચઢ્ઢાના નામની મહેંદી પોતાના હાથ પર સજાવી લીધી છે. 19 સપ્ટેમ્બરના રોજ મહેંદી સેરેમની વખતે સમગ્ર પરિવાર સહિત પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા ગુરૂદ્વારામાં જોવા મળ્યા હતા. 

પરિણીતિ ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં ખાસ મહેમાનોને નિમંત્રણ

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન માટે ખૂબ ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની પત્ની અને બાળકો સાથે આ લગ્નમાં હાજરી આપશે. ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ લગ્નમાં હાજરી આપે તેવી આશા છે. 

રવિવારના રોજ લગ્નમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિતના મહેમાનો પણ હાજરી આપશે. લગ્ન માટે મહેમાનોને બોટ દ્વારા હોટેલ સુધી લઈ જવામાં આવી રહ્યા છે જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.