રાજકારણીઓ અને બોલિવુડના કલાકારો માટે 2 અલગ રિસેપ્શન યોજશે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા

ઉદયપુરના ધ લીલા પેલેસ ખાતે રવિવારના રોજ બોલિવુડની અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની ઈન્ટિમેટ વેડિંગ સેરેમની યોજાઈ હતી. પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પરિવારજનો અને ખૂબ જ નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા તેમના એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના મિત્રો અને રાજકારણીઓ માટે 2 અલગ રિસેપ્શન […]

Share:

ઉદયપુરના ધ લીલા પેલેસ ખાતે રવિવારના રોજ બોલિવુડની અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની ઈન્ટિમેટ વેડિંગ સેરેમની યોજાઈ હતી. પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પરિવારજનો અને ખૂબ જ નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા તેમના એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના મિત્રો અને રાજકારણીઓ માટે 2 અલગ રિસેપ્શન યોજશે તેવા અહેવાલ સામે આવ્યા છે. 

ગ્રાન્ડ વેડિંગ બાદ હવે રિસેપ્શનની તૈયારી

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા ખૂબ જ ગણતરીના લોકોની હાજરીમાં લગ્ન બાદ હવે 2 રિસેપ્શન ડીનર યોજવા માટેની તૈયારી કરી રહ્યા છે જેમાંથી એક દિલ્હી ખાતે યોજાશે અને બીજું મુંબઈમાં. રાષ્ટ્રીય રાજધાની ખાતે યોજાનારા પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નના રિસેપ્શનમાં અનેક રાજકારણીઓને આમંત્રિત કરવામાં આવશે. 

મુંબઈના રિસેપ્શનમાં પરિણીતિ ચોપરાના ફ્રેન્ડ્સનું કરાશે વેલકમ

જ્યારે મુંબઈ ખાતેના રિસેપ્શનમાં પરિણીતિ ચોપરા પોતાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે જીવનના આગલા પડાવની ઉજવણી કરવાની છે. ઉદયપુર ખાતે લગ્ન બાદ પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. લગ્નના એક દિવસ બાદ ઉદયપુરમાં જ પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પછી પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા. 

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન બાદ પોતાના મિત્રો અને પરિવારજનો માટે ત્યાં જ રિસેપ્શન પણ રાખ્યું હતું. ઉદયપુર ખાતે પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને પૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ હાજરી આપી હતી. 

લગ્ન બાદ પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ઈન્સ્ટાગ્રામ પર તેમના લગ્નનું આલ્બમ શેર કર્યું હતું. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે, “નાસ્તાના ટેબલ પરની પ્રથમ ચેટથી જ અમારા હૃદય આ જાણી ગયા હતા. ઘણાં લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા… આખરે મિસ્ટર અને મિસિસ બનીને ખૂબ સુખદ લાગણી અનુભવાઈ રહી છે! અમે એકબીજા વગર જીવી ન શક્યા હોત… હવે અમારૂં કાયમી જીવન શરૂ થયું.”

પરિણીતિ ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાએ આ પોસ્ટ પર પોતાના આશીર્વાદ દર્શાવતી કોમેન્ટ કરી હતી. આ સાથે જ પ્રિયંકા ચોપરાએ પરિવારમાં રાઘવ ચઢ્ઢાનું સ્વાગત કરતી પોસ્ટ પણ શેર કરી હતી. પ્રિયંકા ચોપરાના માતા મધુ ચોપરાએ પરિણીતિ ચોપરાના લગ્નની દરેક વિધિમાં હાજરી આપી હતી અને પ્રિયંકા ચોપરાએ પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે લગ્નમાં હાજરી ન આપી હોવાનું કારણ દર્શાવ્યું હતું. તે સિવાય બોલિવુડના અનેક કલાકારોએ પણ લગ્નના આલ્બમની પોસ્ટમાં પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.