Raj Kundra: પોર્નોગ્રાફી કેસમાં જેલમાં થયેલા તેના અનુભવ વિશે ખુલાસો કર્યો

Raj Kundra: બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ તાજેતરમાં જેલમાં થયેલા અનુભવ વિશે ખુલાસો કર્યો જ્યારે તેને ઘણા લોકોની સામે નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો. પોર્નોગ્રાફીના કેસ (pornography case)માં તેની ધરપકડ કરીને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં થયેલા પોતાનો અનુભવ જણાવતા રાજ કુન્દ્રાએ કહ્યું કે તે આ ઘટનાથી દુઃખી અને અપમાનિત થયો છે.  […]

Share:

Raj Kundra: બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ તાજેતરમાં જેલમાં થયેલા અનુભવ વિશે ખુલાસો કર્યો જ્યારે તેને ઘણા લોકોની સામે નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો. પોર્નોગ્રાફીના કેસ (pornography case)માં તેની ધરપકડ કરીને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં થયેલા પોતાનો અનુભવ જણાવતા રાજ કુન્દ્રાએ કહ્યું કે તે આ ઘટનાથી દુઃખી અને અપમાનિત થયો છે. 

Raj Kundra જેલમાં અપમાનિત થયો 

રાજ કુન્દ્રા (Raj Kundra)એ કહ્યું, “તે અપમાનજનક છે કારણ કે તેઓ તમને નિર્વસ્ત્ર કરે છે. તમે તમારી પીઠ પર કોઈ નશાકારક પદાર્થો નથી લઈ જાઓ છો કે કેમ તે જોવા માટે આવી આપમાનજનક તપાસ કરે છે. જેથી તમને આવું થાય ત્યારે એવું લાગે કે તમે તમારી બધી પ્રતિષ્ઠા ગુમાવી દીધી હોય.”

રાજ કુન્દ્રાની ફિલ્મ

રાજ કુન્દ્રા (Raj Kundra)એ કહ્યું કે તેને સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો હતો. તેની આગામી ફિલ્મ UT69, જેલવાસની આપવીતી પર આધારિત છે. તે પોતે આ ફિલ્મમાં અભિનય કરે છે, જે તેની સત્તાવાર અભિનયની શરૂઆત દર્શાવે છે.

વધઉ વાંચો… Deepika Padukone કેઝયુઅલ ડેટિંગ પર ટ્રોલ થતાં આ એક્ટર સમર્થનમાં આવ્યો

રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

રાજ કુન્દ્રાની 2021માં કથિત પોર્નોગ્રાફી સંબંધિત કેસ (pornography case)માં ધરપકડ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં UT69નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત રાજ કુન્દ્રાની ધરપકડ વિશેના ‘બ્રેકિંગ ન્યૂઝ’થી થાય છે, જે વર્ષના સૌથી મોટા વિવાદોમાંનો એક હતો.

લગભગ બે મહિના જેલમાં રહ્યા બાદ રાજ કુન્દ્રા (Raj Kundra)ને જામીન મળ્યા હતા. કોર્ટમાંથી જામીન મળ્યાના એક દિવસ બાદ 21 સપ્ટેમ્બરે તે જેલમાંથી બહાર આવ્યો હતો.  

રાજ કુન્દ્રા (Raj Kundra)એ જેલમાં વિતાવેલા દિવસો યાદ કરીને કહ્યું, “હું ખરેખર તૂટી ગયો હતો, કદાચ વસ્તુઓને સમાપ્ત કરવા માટે અંદરથી તૂટી ગયો હતો. હું આ શબ્દનો ઉપયોગ નહીં કરું, પણ મારું ત્યાં ઘણું અપમાન થયું હતું. મારી પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. મારા કારણે મીડિયા મારી પત્ની, બાળકો અને માતા-પિતાની પાછળ પડયું. તે પીડાદાયક હતું.”

રાજ કુન્દ્રાએ કહ્યું, “મારી પત્ની વાસ્તવમાં પહેલી વ્યક્તિ હતી જેણે મને પૂછ્યું કે શું તમે વિદેશમાં રહેવા માંગો છો રાજ? તમે લંડનમાં બધું છોડી દીધું, તમારો જન્મ અને ઉછેર ત્યાં થયો, તમે અહીં આવ્યા કારણ કે હું અહીં રહેવા માંગતી હતી. પણ પણ જો તમે ઈચ્છો તો હું મેનેજ કરી શકું છું અને ચાલો દેશ છોડીને વિદેશ જઈએ. મેં તેને કહ્યું કે હું ભારતને પ્રેમ કરું છું અને અહીંથી નહીં જાઉં. લોકો મોટા ગુના કરે છે. હજારો કરોડો કમાઈને દેશ છોડીને જાય છે, પરંતુ મેં કંઈ કર્યું નથી તેથી હું દેશ છોડીશ નહીં.”