સુષ્મિતા સેનની ‘તાલી’ વેબ સિરીઝનું ટ્રેલર થયું લોન્ચ  

સુષ્મિતા સેનની ‘તાલી’ વેબ સિરીઝનું ટ્રેલર સોમવારે અભિનેતા અને નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. આ વેબ સિરીઝનું ટ્રેલર ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતના હિંમતવાન પરિવર્તન, માતૃત્વ તરફની સફર અને ભારતના દરેક દસ્તાવેજમાં ત્રીજા લિંગના સમાવેશની લડાઈ પર આધારિત છે.  તાલીના ટ્રેલરમાં જોવા મળ્યો સુષ્મિતા સેનનો અલગ અંદાજ! અભિનેત્રી સુષ્મિતા સેન તેના પહેલા જ સીનથી સ્ક્રીન […]

Share:

સુષ્મિતા સેનની ‘તાલી’ વેબ સિરીઝનું ટ્રેલર સોમવારે અભિનેતા અને નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. આ વેબ સિરીઝનું ટ્રેલર ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતના હિંમતવાન પરિવર્તન, માતૃત્વ તરફની સફર અને ભારતના દરેક દસ્તાવેજમાં ત્રીજા લિંગના સમાવેશની લડાઈ પર આધારિત છે. 

તાલીના ટ્રેલરમાં જોવા મળ્યો સુષ્મિતા સેનનો અલગ અંદાજ!

અભિનેત્રી સુષ્મિતા સેન તેના પહેલા જ સીનથી સ્ક્રીન પર પ્રભાવશાળી વ્યક્તિત્વ છે અને તમને અસ્વસ્થ પરિસ્થિતિઓને સહાનુભૂતિ સાથે જોવા માટે દબાણ કરે છે. સુષ્મિતા સેન અવિશ્વસનીય શ્રીગૌરી સાવંત તરીકે ઉગ્ર ભૂમિકામાં જોવા મળે છે અને દરેક પરિસ્થિતિને સ્વીકારે છે – શાળાના દિવસોથી માતા બનવાની ઈચ્છાથી લઈને ગણેશથી ગૌરીમાં શારીરિક પરિવર્તન સુધી, આખરે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા સ્વીકારવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટમાં તેની લડતને આગળ ધપાવે છે. 

તાલીના ટ્રેલર પર પ્રતિક્રિયાઓ

ટીઝરને શેર કરતા સુષ્મિતા સેને લખ્યું, “ગૌરી આ ગયી હૈ. તમારા સ્વાભિમાન, સન્માન અને સ્વતંત્રતાની વાર્તા કહો. તાલી – બજાયેંગે નહીં, બજવાયેંગે (ગૌરી અહીં તેના આદર અને સ્વતંત્રતા માટે લડવા માટે છે. તે તાળીઓ પાડશે નહી પરંતુ બીજા દ્વારા તેના માટે તાળીઓ પડાવડાવશે) ! 

એક ચાહકે તેની પોસ્ટ પર ટિપ્પણી કરી, ” તમે આગ છો અને અભિનેત્રીઓ દ્વારા પસંદ કરાયેલ એકવિધ પાત્રોમાંથી એક પાત્ર પસંદ કરવા માટે તમારી હિંમતનો જવાબ નહીં” બીજાએ કહ્યું, “આ એકદમ ખૂબસૂરત છે!!!” વધુ એકે કહ્યું, “આ વેબ સિરીઝના રિલીઝની રાહ જોઈ શકતો નથી!”

સુષ્મિતા સેને તેના શ્રીગૌરી સાવંતના પાત્ર વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જ્યારે મને તાલી માટે પહેલીવાર સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે મારા મગજમાં તરત જ હા થઈ ગઈ હતી. જોકે, મને સત્તાવાર રીતે ઓન-બોર્ડ આવતા સાડા છ મહિના લાગ્યા હતા. મને ખબર હતી કે આવી જટિલ અને મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા માટે હું સંપૂર્ણપણે તૈયાર, સારી રીતે શિક્ષિત અને સંશોધન કરવા માંગુ છું. શ્રીગૌરી સાવંત એક પ્રશંસનીય વ્યક્તિ છે, હું તેમની સાથે ઘણા પાસાઓથી જોડાયેલી છું અને હું ભાગ્યશાળી છું કે મને આ સિરીઝ દ્વારા તેમનું અવિશ્વસનીય જીવન જીવવાની તક મળી છે. 

સુષ્મિતા સેન તાલીના પોસ્ટર માટે ટ્રોલ થઈ 

ગયા મહિને ટીઝર રિલીઝ થયા પછી, અભિનેત્રી સોશિયલ મીડિયા પર અને ઈન્ટરવ્યુમાં તાલીના પ્રચારમાં વ્યસ્ત છે. સુષ્મિતા સેને ગયા વર્ષે ઓક્ટોબરમાં તાલીનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.

સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “તાલી – બજાઉંગી નહીં, બજવાઉંગી (હું તાળી નહીં પાડીશ, પરંતુ અન્યને તાળીઓ પડાવીશ). શ્રીગૌરી સાવંત અને તેમના પાત્રને દર્શાવવાનો વિશેષાધિકાર મળવાથી વધુ ગૌરવ અને આભાર અનુભવું છું. તેમની વાર્તાને વિશ્વ સમક્ષ લાવીએ છીએ. જીવનમાં ગૌરવ સાથે જીવવાનો દરેકનો અધિકાર છે! “

એક ઈન્ટરવ્યુમાં સુષ્મિતા સેને જણાવ્યું હતું કે તાલીનો ફર્સ્ટ લુક લોન્ચ થયા પછી તેને ‘સોશિયલ મીડિયા પર અનામી લોકો’ તરફથી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. તેણે હ્યું, “મેં રિલીઝ કરેલા તાલીનું પહેલું પોસ્ટરમાં મારો અડધો ચહેરો અને તાળી દેખાતી હતી. સોશિયલ મીડિયામાં કમેન્ટ સેક્શનમાં, ઘણા બધા અનામી લોકો હતા જેમણે વારંવાર ‘છક્કા (નપુંસક)’ લખ્યું હતું. મેં વિચાર્યું, તેઓ મારી સાથે આવું કેવી રીતે કરી શકે? મેં તેને ખૂબ જ અંગત રીતે લીધું કારણ કે તે મારી ટાઈમલાઈન પર દેખાતું હતું. અલબત્ત, મેં તે બધાને બ્લોક કર્યા છે. પરંતુ તે મને પ્રભાવિત કરે છે કે જ્યારે હું શ્રીગૌરી સાવંતના જીવનનું ચિત્રણ કરું છું, ત્યારે હું અનુભવું છું કે  તેઓ તેમના જીવનની દરેક શ્વાસની ક્ષણ તેની સાથે જીવે છે.”