બોટાદઃ એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન સામે કૂદીને જીવન ટૂંકાવ્યું!

ભાવનગરથી ગાંધીગ્રામ 09216 ટ્રેનની સામે આવી 4 લોકોએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્દષ્ટિએ સામે આવ્યું છે.

Share:

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર એક સાથે એક જ પરિવારના 4 લોકોએ જીવન ટૂંકાવીને આત્મહત્યા કરી છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અહીંયા એક વ્યક્તિ, તેની બે પુત્રીઓ અને એક પુત્રએ કથિત રીતે ટ્રેનની સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રેલ્વે પ્રોટેક્શન ફોર્સના સબ ઇન્સ્પેક્ટર વીએસ ગોલેએ જણાવ્યું હતું કે, આ ઘટના નિંગાલા અને આલમપુર રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી.

ભાવનગરથી ગાંધીગ્રામ 09216 ટ્રેનની સામે આવી 4 લોકોએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્દષ્ટિએ સામે આવ્યું છે. જોકે, આપઘાતનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતકના મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હાલમાં મૃતક કોણ છે અને ક્યાંના છે. તેમજ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags :