Chhotaudepur: પોલીસકર્મીએ જ પત્નીની હત્યા કરી ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

છોટાઉદેપુરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં પોલીસકર્મીએ તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી અને પછી લાશને ફેંકી દીધી હતી. જો કે, મહિલાની લાશ ગઈ કાલે મળી હતી, પરંતુ આજે હત્યાનો ખુલાસો થયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પોલીસકર્મીએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી
  • આરોપી પોલીસકર્મીને ફરજમાંથી સસ્પેન્ડ કરી ધરપકડ કરાઈ
  • પત્નીની હત્યાનું કારણ હજુ સુધી અકબંધ, તપાસમાં થશે ખુલાસો

છોટાઉદેપુરઃ પોલીસકર્મી દ્વારા પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પત્નીની હત્યાની  વાત વહેતા સમગ્ર વિસ્તારમાં ચકચાકર મચી જવા પામી છે. વાત એવી છે કે, છોટાઉદેપુરના પીપલેજથી ગોંદરિયા ગામ વચ્ચેથી ગઈ કાલે એક અજાણી મહિલાની લાશ મળી હતી. અજાણી મહિલાની લાશ મળી આવતા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યારો બીજુ કોઈ નહીં પણ મૃતકનો પતિ અને પોલીસકર્મી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

હત્યાનું કારણ અકબંધ 
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, છોટાઉદેપુરમાં પીપલેજથી ગોંદરિયા ગામ વચ્ચેથી ગઈ કાલે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશ મળી આવતા લોકોનાં ટોળા ટોળે ઉમટ્યા હતા. સ્થાનિક લોકોએ આ બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે જઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હતી. જો કે, હત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. 

પોલીસકર્મી પતિએ કરી હત્યા 
પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મૃતક મહિલાની હત્યા તેના પતિ અને પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા એ.એસ.આઈ. વરસન રાઠવાએ કરી હોવાનું ખૂલ્યું હતું. હત્યાના આરોપી પોલીસકર્મીની અટકાયત કરીને તેને ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં હત્યાનું સાચુ કારણ જાણવા મળશે.