Andhra Train Accident: વિજયનગરમાં મુસાફરો ભરેલી 2 ટ્રેન અથડાતાં 13ના મોત

Andhra Train Accident: આંધ્ર પ્રદેશના વિજયનગર (Vijayanagar) જિલ્લામાં રવિવારે 2 પેસેન્જર ટ્રેન વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 13 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ વળતરની જાહેરાત કરવામાં આવી છે અને વડાપ્રધાન મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે.  જાણો […]

Share:

Andhra Train Accident: આંધ્ર પ્રદેશના વિજયનગર (Vijayanagar) જિલ્લામાં રવિવારે 2 પેસેન્જર ટ્રેન વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 13 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ વળતરની જાહેરાત કરવામાં આવી છે અને વડાપ્રધાન મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે. 

જાણો Andhra Train Accidentની વિગતો

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દુર્ઘટનામાં સામેલ ટ્રેનોના નામ 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ હતું. આ અથડામણના કારણે અનેક ટ્રેનના રૂટ બદલવા પડ્યા છે. જે લાઈન પર આંધ્ર પ્રદેશમાં ટ્રેન એક્સિડેન્ટ (Andhra Train Accident) થયો તે હાવડા-ચેન્નાઈ લાઈન તરીકે ઓળખાય છે. જાણો આ સમગ્ર ઘટના અંગે વધારે અપડેટ્સઃ

– રેલવેએ જણાવ્યું હતું કે, વિજયનગર જિલ્લાના કાંતકપલ્લેમાં વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને સાંજે 7:00 વાગ્યા આસપાસ વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ કારણે તેના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ જવાબદાર છે. 

– વિજયનગર (Vijayanagar) જિલ્લાના એસપીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે અને 50 લોકોને ઈજાઓ પહોંચી છે.

– ભારતીય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અલામંદા અને કંટકપલ્લી રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો. દુર્ઘટનાના કારણે ઈલેક્ટ્રિક લાઈન ઉખડી ગઈ હતી જેથી સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. 

– વિજયનગર જિલ્લામાં થયેલી આ રેલ દુર્ઘટના બાદ રેલવેએ 13 ટ્રેનો રદ્દ, ડાયવર્ટ કે ટર્મિનેટ કરી હતી. રેલવેએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાના કારણે ટ્રેક બ્લોક થઈ ગયા હતા અને તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે માટે ત્યાંથી ટ્રેનનું પરિવહન હાલ પૂરતું શક્ય નથી. 

વધુ વાંચો: ટ્રેન 13 કલાક મોડી પડતા મુસાફરને અસુવિધા, 60 હજારનું વળતર આપવા આદેશ

પીડિતો માટે વળતરની જાહેરાત

આંધ્ર પ્રદેશમાં ટ્રેન એક્સિડેન્ટ (Andhra Train Accident) બાદ મુખ્યમંત્રી રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને તાત્કાલિક રાહત ઉપાયો લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લી જિલ્લાઓમાંથી એમ્બ્યુલન્સ મગાવીને તેને સેવામાં લગાવવામાં આવી હતી. 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકાર દ્વારા રેલવે અકસ્માતના પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજા પહોંચી હોય તેમને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 

વધુ વાંચો: તહેવારમાં મુસાફરોના લાભ માટે પશ્ચિમ રેલવેની નવી ટ્રેનોની જાહેરાત

મુખ્યમંત્રી રેડ્ડીએ પણ પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે અન્ય રાજ્યના મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ PMNRFમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.