હરિયાણા હિંસા પર અનિલ વિજનું નિવેદન: ગુનેગારો પાસેથી નુકસાન વસૂલવામાં આવશે 

હરિયાણા વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની રેલીમાં હિંસક અથડામણ થઈ ત્યારે વરિષ્ઠ અધિકારી રજા પર હોવાનું સામે આવ્યા બાદ નૂહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાની બદલી કરવામાં આવી છે. ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે વરુણ સિંગલાને ભિવાનીમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન, શુક્રવારની નમાજ પહેલા ગુરુગ્રામના સદર બજારમાં જામા મસ્જિદની બહાર સુરક્ષા […]

Share:

હરિયાણા વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની રેલીમાં હિંસક અથડામણ થઈ ત્યારે વરિષ્ઠ અધિકારી રજા પર હોવાનું સામે આવ્યા બાદ નૂહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાની બદલી કરવામાં આવી છે. ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે વરુણ સિંગલાને ભિવાનીમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

દરમિયાન, શુક્રવારની નમાજ પહેલા ગુરુગ્રામના સદર બજારમાં જામા મસ્જિદની બહાર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. હરિયાણાના નૂહ જિલ્લામાં એક મસ્જિદમાં આગ લગાડવામાં આવી હતી અને ગુરુગ્રામમાં લગભગ 30 લોકોના જૂથ દ્વારા મુસ્લિમ સમુદાયના બે ભાઈઓને કથિત રીતે માર મારવામાં આવ્યાના એક દિવસ પછી પોલીસ અધિકારીઓ દ્વારા કડક તકેદારી રાખવામાં આવી છે.

એક સમુદાયના નેતાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે મુસ્લિમ સમુદાયના સભ્યો સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામની કોઈપણ મસ્જિદ અથવા ખુલ્લા સ્થળે શુક્રવારની નમાઝ અદા કરશે નહીં.

પોલીસે જણાવ્યું કે ગુરુગ્રામમાં જમીયત ઉલમાના પ્રમુખ મુફ્તી સલીમ કાસમીએ એક વીડિયો સંદેશ દ્વારા લોકોને જાહેર સ્થળોએ નમાજ પઢવા અથવા નમાજ માટે મસ્જિદોમાં એકઠા થવાથી દૂર રહેવાની અપીલ કરી છે. જિલ્લામાં જામા મસ્જિદ પાસે કેટલીક દુકાનો બંધ રહી હતી. 

હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નિવેદન

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું, “અમે તોફાનીઓ પાસેથી મિલકતના નુકસાનની વસૂલાત માટે કાર્યવાહી કરી છે.” અનિલ વિજે જણાવ્યું હતું કે સરકારે તમામ સીસીટીવી ફૂટેજ લીધા છે અને તેના આધારે FIR નોંધી છે.

અનિલ વિજે વધુમાં કહ્યું, “અત્યાર સુધીમાં 102 FIR નોંધવામાં આવી છે અને 202 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 80 જેટલા લોકોને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.” 

હરિયાણામાં હાલની સ્થિતિ

ગુરુગ્રામમાં સંપૂર્ણ શાંતિ છે. અમારી ટીમો સમગ્ર જિલ્લામાં તૈનાત છે. ACP વરુણ દહિયાએ જણાવ્યું હતું કે ગુરુવારે જિલ્લામાં હિંસાની કોઈ નવી ઘટના બની નથી.

પોલીસે જણાવ્યું કે આગ લગાડેલી મસ્જિદ સિવાય અન્ય એક મસ્જિદમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, આ ઘટના બુધવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ગુરુગ્રામમાં હિંસાની ઘટના બુધવારે સાંજે બની હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે એક મસ્જિદ વિજય ચોક પાસે આવેલી છે, જ્યારે બીજી પોલીસ સ્ટેશન પાસે છે. બંને મસ્જિદોને થોડું નુકસાન થયું હતું.

બંને જિલ્લાઓમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે હિંસાના કોઈ નવા કેસ નોંધાયા નથી અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ, ફાયર બ્રિગેડ બે મસ્જિદોમાં દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ નજીકના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, પોલીસે કહ્યું હતું કે બે મસ્જિદો પર મોલોટોવ કોકટેલ ફેંકવામાં આવ્યા હતા.

હરિયાણાના અધિક મુખ્ય સચિવ (ગૃહ) T V S N પ્રસાદે ગુરુવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે રેપિડ એક્શન ફોર્સનું એક કેન્દ્ર, CRPFનું એન્ટી રાઈટ યુનિટ ટૂંક સમયમાં નૂહમાં સ્થાપિત કરવામાં આવશે.

હરિયાણા સરકારે એક સમિતિની રચના કરી છે જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે ઉશ્કેરણીજનક કન્ટેન્ટના પ્રચારને રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખશે.

આ દરમિયાન ગુરુવારે નૂહમાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. જેમાં લોકો સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકે છે. નૂહના ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે જણાવ્યું હતું કે, આજે સવારે 10 વાગ્યાથી ત્રણ કલાક માટે કર્ફ્યુમાં ફરીથી રાહત આપવામાં આવી હતી.