ખંઢેરી ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમી પંખીડાએ આપઘાત  કર્યો 

પરિવારની મરજી વિપરિત સ્થતિમાં પ્રેમી પંખીડા કંઈ પણ વિચાર્યા વગર જ આત્મહત્યા કરવાનું નક્કી કરી લેતા હોય છે.ત્યારે આવું જ કાંઈક રાજકોટમાં બન્યું છે. જ્યાં સમાજ પ્રેમમાં અડચણરૂપ બની એક નહીં થવા દે તેવું વિચારી મીઠાપુરના આરંભડાના યુવક યુવતીએ સજાડે ખંઢેરી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના ખંઢેરી […]

Share:

પરિવારની મરજી વિપરિત સ્થતિમાં પ્રેમી પંખીડા કંઈ પણ વિચાર્યા વગર જ આત્મહત્યા કરવાનું નક્કી કરી લેતા હોય છે.ત્યારે આવું જ કાંઈક રાજકોટમાં બન્યું છે. જ્યાં સમાજ પ્રેમમાં અડચણરૂપ બની એક નહીં થવા દે તેવું વિચારી મીઠાપુરના આરંભડાના યુવક યુવતીએ સજાડે ખંઢેરી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના ખંઢેરી ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકી મીઠાપુરના પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં રાજકોટ રેલવે પોલીસ તેમજ પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને યુવતી મીઠાપુરના આરંભડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આપઘાત કરનાર મૃતક યુવક મહેન્દ્રસિંહ વાઘેલા (ઉંમર વર્ષ 22) અને મૃતક યુવતી સુમીબેન કેર (ઉંમર વર્ષ 19) હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા રવિવારના રોજ મોડી સાંજે બંનેના પરિવારજનો રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.

આપઘાત કરનાર મહેન્દ્રસિંહ વાઘેલાને બે ભાઈ તેમજ બે બહેન નાના હોવાનું સામે આવ્યું છે. મહેન્દ્રસિંહ પોતાના જ ગામમાં આવેલી ફેક્ટરીમાં નોકરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કે મૃતક યુવતી સુમીબેન કેર ને  ચાર બહેનો છે તેમજ એક ભાઈ છે જેમાં તે સૌથી નાની હતી. તેમજ તેના પિતા રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. મૃતક મહેન્દ્રસિંહ અને સુમી એક જ ગામમાં રહેતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જોકે, છ મહિના પૂર્વે યુવતીની બીજે ક્યાંય સગાઈ થઈ ચૂકી હતી. જેના કારણે બંને ક્યારેય પણ એક નહીં થઈ શકે તે પ્રકારના ડરથી બંને જણાએ રવિવારના રોજ ઘરેથી નીકળી ગયા હતા. ત્યાર બાદ બંને બાઈક પર રાજકોટના ખંઢેરી પાસે આવ્યા હતા. જ્યાં ટ્રેન આવતી જોઈ બાઇક સાઈડમાં મુકી બંને એક સાથે ટ્રેન નીચે કૂદી જતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓખા બાન્દ્રા ટ્રેન હેઠળ પ્રેમી અને પ્રેમિકાએ પડતું મુકતા બંનેના પરિવારમાં હાલ શોકની લાગણી વ્યાપી ગઈ છે.