મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં આવ્યું પૂર

પ્રાદેશિક હવામાન કેન્દ્ર, નાગપુરે શનિવારે વિદર્ભના યવતમાલ, ગઢચિરોલી, અમરાવતી અને વાશિમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. પૂર્વી મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના મહાગાંવ તાલુકામાં ભારે પૂરને કારણે ફસાયેલા લગભગ 110 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અમોલ યેગેએ જણાવ્યું કે, આનંદનગર ટાંડા ગામમાં બચાવ કામગીરીમાં મદદ કરવા […]

Share:

પ્રાદેશિક હવામાન કેન્દ્ર, નાગપુરે શનિવારે વિદર્ભના યવતમાલ, ગઢચિરોલી, અમરાવતી અને વાશિમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

પૂર્વી મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના મહાગાંવ તાલુકામાં ભારે પૂરને કારણે ફસાયેલા લગભગ 110 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અમોલ યેગેએ જણાવ્યું કે, આનંદનગર ટાંડા ગામમાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) સક્રિયપણે સામેલ હતું, અને ભારતીય વાયુસેનાનું Mi-17 V5 ચોપર પણ તૈનાત કરવામાં આવ્યું હતું.

SDRF દ્વારા બચાવ કામગીરી પૂર્ણ કરીને ફસાયેલા લોકોને અસરકારક રીતે સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા. નાગપુરથી અંદાજે 150 કિમી દૂર આવેલા પ્રદેશમાં શુક્રવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે નાગપુરથી બે IAF હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા, પરંતુ સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે માત્ર એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. કલેક્ટર અમોલ યેગેએ જણાવ્યું હતું કે મહાગાંવ તાલુકામાં મધ્યરાત્રિથી શનિવાર સવાર સુધી 231 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જિલ્લામાં 117.5 મીમી વરસાદ નોંધાયો હતો.

યવતમાલના ઘણા ભાગોમાં ગઈકાલથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ઊંચા સ્થળોએ આશરો લેવાની ફરજ પડી હતી. પૂરને કારણે જનજીવન ખોરવાયું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 

કલેકટર અમોલ યેગેના જણાવ્યા અનુસાર, યવતમાલ શહેરમાં કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

પૂર્વી મહારાષ્ટ્રના અન્ય એક જિલ્લા બુલઢાણાના સંગ્રામપુર તાલુકામાં આવેલા કાસેરગાંવ ગામમાં લગભગ 140 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ દરમિયાન, અવિરત વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ગુરુવારે મુંબઈમાં લોકલ ટ્રેન સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. સેન્ટ્રલ રેલ્વેએ 20 સેવાઓ રદ કરવી પડી હતી અને વડાલા અને માનખુર્દ સ્ટેશન વચ્ચે ટ્રેક ડૂબી જતાં ટ્રાફિક બંધ કરવો પડયો હતો. ઉક્ત સ્ટ્રેચ પરની સેવા બપોરે 2:45 વાગ્યે બંધ કરવામાં આવી હતી અને બપોરે 3:10 વાગ્યે ફરીથી શરૂ કરવામાં આવી હતી. સેવાઓ પુનઃસ્થાપિત થયા બાદ હાર્બર લાઇન પર ટ્રેનો 20-30 મિનિટ મોડી દોડતી હતી.

આ ઉપરાંત, ઈર્શાલવાડી ભૂસ્ખલન દુર્ઘટનામાં બચી ગયેલા 60 લોકોને ગુરુવારે રાત્રે નાનીવલીની રાયગઢ જિલ્લા પરિષદ શાળામાં અસંભવિત જગ્યાએ આશ્રય આપ્યો. સરકારી અધિકારીઓએ પીડિતો માટે રાહતની વ્યવસ્થા કરી હોવા છતાં, નાનીવલીના સ્થાનિકોએ ચાર્જ સંભાળ્યો અને ઈર્શાલવાડીના રહેવાસીઓને ભોજન પૂરું પાડવામાં મદદ કરી.