IAS ઓફિસર રિંકુ દુગ્ગાએ શ્વાનને ફરવા માટે સ્ટેડિયમ ખાલી કરાવ્યું, સરકારે ફરજિયાતપણે નિવૃત્ત કર્યા

રિંકુ દુગ્ગા નામના IAS ઓફિસર કે જેમને ગયા વર્ષે પોતાના શ્વાનને ફરવા માટે સ્ટેડિયમ ખાલી કરાવવા માટે વિવાદનો સામનો કરવો પડ્યો હતો, તેમને સરકારે ફરજિયાતપણે નિવૃત્ત કરી દીધા છે. IAS ઓફિસર રિંકુ દુગ્ગા અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા હતા જ્યારે સરકારે તેમને ફરજિયાતપણે નિવૃત્ત કર્યા હતા. રિંકુ દુગ્ગાને હાલમાં અરુણાચલ પ્રદેશમાં સ્વદેશી બાબતોના મુખ્ય સચિવ તરીકે […]

Share:

રિંકુ દુગ્ગા નામના IAS ઓફિસર કે જેમને ગયા વર્ષે પોતાના શ્વાનને ફરવા માટે સ્ટેડિયમ ખાલી કરાવવા માટે વિવાદનો સામનો કરવો પડ્યો હતો, તેમને સરકારે ફરજિયાતપણે નિવૃત્ત કરી દીધા છે. IAS ઓફિસર રિંકુ દુગ્ગા અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા હતા જ્યારે સરકારે તેમને ફરજિયાતપણે નિવૃત્ત કર્યા હતા. રિંકુ દુગ્ગાને હાલમાં અરુણાચલ પ્રદેશમાં સ્વદેશી બાબતોના મુખ્ય સચિવ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

કોણ છે રિંકુ દુગ્ગા?

રિંકુ દુગ્ગા 1994-બેચના AGMUT (અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ) કેડરના અધિકારી છે. તેના પતિ સંજીવ ખિરવાર પણ 1994-બેચના IAS ઓફિસર છે તેમની ગયા વર્ષે દિલ્હીની બહાર બદલી કરવામાં આવી હતી. તે બંને પર દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમને તેમના શ્વાનને ફરવા માટે ખાલી કરાવવાનો આરોપ હતો. દિલ્હી સરકાર દ્વારા નિયંત્રિત ત્યાગરાજ સ્ટેડિયમ 2010માં કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગૃહ મંત્રાલયને દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી દંપતી દ્વારા ત્યાગરાજ સ્ટેડિયમમાં સુવિધાઓના કથિત દુરુપયોગ અંગેની ‘તથ્યપૂર્ણ સ્થિતિ’ વિશે અહેવાલ મળ્યો હતો.

રિંકુ દુગ્ગાના પતિ સંજીવ ખિરવાર, જેમણે દિલ્હી સરકાર સાથે મુખ્ય સચિવ (મહેસૂલ) તરીકે કામ કર્યું હતું, તેમની લદ્દાખમાં બદલી કરવામાં આવી હતી, જ્યારે રિંકુ દુગ્ગાને અરુણાચલ પ્રદેશમાં સ્વદેશી બાબતોના મુખ્ય સચિવ તરીકે મૂકવામાં આવ્યા હતા.

રિંકુ દુગ્ગાને ફરજિયાતપણે નિવૃત કરાયા

રિંકુ દુગ્ગાને તેમના સર્વિસ રેકોર્ડના મૂલ્યાંકન પછી મૂળભૂત નિયમો (FR) 56(J), સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (CCS) પેન્શન નિયમો, 1972ના નિયમ 48 હેઠળ ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવ્યા છે. 56(J) મુજબ, જો કોઈપણ સરકારી કર્મચારીનો ટ્રેક રેકોર્ડ સારો ન હોય, ભ્રષ્ટાચાર અને કામમાં ગેરરીતિના આરોપો હોય, તો આવા કર્મચારી અથવા અધિકારીના કામની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે.

સમીક્ષા કર્યા પછી, સંબંધિત કર્મચારીને નોટિસ આપવામાં આવે છે અને પછી 3 મહિનાનો પગાર અને ભથ્થાં આપીને ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવે છે. રિંકુ દુગ્ગાને પણ આરોપોને આધારે કેન્દ્ર સરકારે ફરજિયાતપણે નિવૃત્ત કર્યા હતા.

ગયા વર્ષે માર્ચમાં દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં તાલીમ લેનાર કોચે દાવો કર્યો હતો કે પહેલા તે રાત્રે 8 કે 8.30 વાગ્યા સુધી ટ્રેનિંગ કરતો હતો. પરંતુ તેમને 7 વાગે મેદાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી  IAS ઓફિસર સંજીવ અને તેમની પત્ની તેમના શ્વાન સાથે ત્યાં ચાલી શકે. કોચે કહ્યું કે આનાથી તેની ટ્રેનિંગ અને પ્રેક્ટિસ રૂટિનમાં સમસ્યા સર્જાઈ રહી હતી. ત્યારબાદ IAS ઓફિસર સંજીવનું સ્પષ્ટીકરણ આવ્યું અને તેમણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે કબૂલ્યું હતું કે તે ક્યારેક શ્વાનને ફરવા લઈ જાય છે, પરંતુ તે ખેલાડીઓની પ્રેક્ટિસને અવરોધે છે તે વાતનો ઈન્કાર કર્યો હતો.