રક્ષા મંત્રાલયે પાંચ ફ્લીટ સપોર્ટ શિપમાટે HSL સાથે રૂ. 19,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા

સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે, રક્ષા મંત્રાલયે 25 ઓગસ્ટના રોજ ભારતીય નૌકાદળ માટે પાંચ ફ્લીટ સપોર્ટ શિપ (FSS) ના સંપાદન માટે HSL (હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ), વિશાખાપટ્ટનમ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ 16 ઓગસ્ટ, 2023ના રોજ તેની બેઠક દરમિયાન આ પાંચ ફ્લીટ સપોર્ટ શિપના સંપાદનને […]

Share:

સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે, રક્ષા મંત્રાલયે 25 ઓગસ્ટના રોજ ભારતીય નૌકાદળ માટે પાંચ ફ્લીટ સપોર્ટ શિપ (FSS) ના સંપાદન માટે HSL (હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ), વિશાખાપટ્ટનમ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ 16 ઓગસ્ટ, 2023ના રોજ તેની બેઠક દરમિયાન આ પાંચ ફ્લીટ સપોર્ટ શિપના સંપાદનને મંજૂરી આપ્યાના દિવસો બાદ આ બન્યું છે.

HSL સાથે આશરે રૂ. 19,000 કરોડના ખર્ચે કરાર થયો

રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “રક્ષા મંત્રાલયે 25 ઓગસ્ટે HSL, વિશાખાપટ્ટનમ સાથે ભારતીય નૌકાદળ માટે આશરે રૂ. 19,000 કરોડના ખર્ચે પાંચ ફ્લીટ સપોર્ટ શિપ (FSS)ના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 44,000 ટન કેટેગરીના જહાજો ભારતમાં ભારતીય શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવશે તે પ્રકારનું પ્રથમ હશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના લક્ષ્યને હાંસલ કરવા માટે આ પ્રોજેક્ટ એક મોટું પ્રોત્સાહન હશે.

સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીએ 16 ઓગસ્ટે તેની બેઠકમાં પાંચ ફ્લીટ સપોર્ટ શિપના અધિગ્રહણને મંજૂરી આપી હતી.

રક્ષા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લીટ સપોર્ટ શિપ દરિયામાં જહાજોને ફ્યુલ, પાણી, વિસ્ફોટકો અને સ્ટોર્સથી ભરવા માટે તૈનાત કરવામાં આવશે, જે ભારતીય નૌકાદળના કાફલાને બંદર પર પાછા ફર્યા વિના લાંબા સમય સુધી કામ કરવા સક્ષમ બનાવે છે.

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ફ્લીટ સપોર્ટ શિપ કાફલાની વ્યૂહાત્મક પહોંચ અને ગતિશીલતાને વધારશે. આ ફ્લીટ સપોર્ટ શિપને સામેલ કરવાથી ભારતીય નૌકાદળની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.” 

આ ફ્લીટ સપોર્ટ શિપને લોકોના સ્થળાંતર અને માનવ સહાય અને આપત્તિ રાહત કામગીરી માટે પણ તૈનાત કરી શકાય છે.

પ્રોજેક્ટ પૂરો થતાં 8 વર્ષનો સમય લાગશે

રક્ષા મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ આઠ વર્ષના સમયગાળામાં લગભગ 168.8 લાખ માનવ-દિવસની રોજગારીનું સર્જન કરશે.”

રક્ષા મંત્રાલયના એમ નિવેદનમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ ભારતીય શિપબિલ્ડિંગ ઉદ્યોગને એક નવું પરિમાણ પૂરું પાડશે અને MSME સહિત સંકળાયેલા ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. મોટાભાગના સાધનો અને સિસ્ટમો સ્વદેશી ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવે છે, આ ફ્લીટ સપોર્ટ શિપ રક્ષા મંત્રાલયની ‘આત્મનિર્ભર ભારત ‘ યોજનાનું પ્રદર્શન કરશે જે સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ સાથે સુસંગત છે. 

આ ફ્લીટ સપોર્ટ શિપ નાના અને મધ્યમ કક્ષાના અનેક ઉદ્યોગોના સહયોગથી બનાવવામાં આવશે. આ તમામ પાંચ ફ્લીટ સપોર્ટ શિપ આગામી દાયકા સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. 

આ વિકાસ એવા સમયે થયો છે જ્યારે નૌકાદળ 2047 સુધીમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવા માટે કામ કરી રહી છે જ્યારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે.