માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને સંભળાવી બે વર્ષની સજા

સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસનો ચુકાદો આવી ગયો છે. સેશન્સ કોર્ટે આ મામલે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. જેને રાહુલ ગાંધી માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આ ફરિયાદ 2019માં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના […]

Share:

સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસનો ચુકાદો આવી ગયો છે. સેશન્સ કોર્ટે આ મામલે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. જેને રાહુલ ગાંધી માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આ ફરિયાદ 2019માં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી. હવે આ મામલે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 23 માર્ચે સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ જજ આર.પી.મોગરાની કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી. આ કેસમાં નિર્ણય આવે ત્યાં સુધી રાહુલને જામીન મળી ગયા હતા. ટ્રાયલ કોર્ટની સજા સામે અપીલ દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આર.એસ. ચીમાએ કહ્યું કે આખો કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ પર રાહુલનું નિવેદન જોયા બાદ 100 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બીજી તરફ, ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોલિયાએ તેમના જવાબમાં રાહુલ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો અને તેનું પુનરાવર્તન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સંસદમાં કાયદાઓ બને છે, પરંતુ રાહુલ પોતે તે સમય દરમિયાન સંસદ સભ્ય હોવા છતાં, નિયમો અને કાયદાઓનું પાલન કરતા નથી અથવા કાયદા સાથે ખિલવાડ કરે છે તો તેનો ખોટો સંદેશ સામાન્ય જનતામાં જાય છે. આ કિસ્સામાં મોદી સરનેમનો ઉલ્લેખ કરતા રાહુલે લોકોને પૂછ્યું કે બધા ચોરોની અટક મોદી શા માટે છે? શોધો તમને વધુ મોદી મળશે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલે ચૂંટણી ભાષણમાં મોદીની અટકનો ઉલ્લેખ કરતા કહ્યું કે બધા ચોરોની અટક મોદી શા માટે છે. ટોલિયાએ કોર્ટને એમ પણ કહ્યું કે જે દિવસે ટ્રાયલ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે દિવસે રાહુલે કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો. ટોલિયાએ કોર્ટને એ પણ કહ્યું હતું કે રાહુલે નીચલી કોર્ટમાં પોતાના બદનક્ષીભર્યા નિવેદનો બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો.

કેન્દ્રીયમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધી જે બોલે તેનાથી તેને અને તેના પક્ષને પણ નુકશાન થાય છે. કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કેટલાક સ્થળે પ્રદર્શનો શરૃ થયા હોવાની વાતો પણ વહેતી થઈ છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરૃદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરત કોર્ટે ચુકાદો આપતા દોષિત જાહેર કર્યા પછી રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.