હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી 71નાં મોત, શિમલાની શાળામાં રજા જાહેર કરાઈ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે અત્યાર સુધી 71 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં પરંતુ રાજ્યને કુલ 75 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે.  હિમાચલ પ્રદેશમાં શાળામાં રજા જાહેર રવિવારથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને જોતા રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ […]

Share:

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે અત્યાર સુધી 71 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં પરંતુ રાજ્યને કુલ 75 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. 

હિમાચલ પ્રદેશમાં શાળામાં રજા જાહેર

રવિવારથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને જોતા રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ સચિવે તમામ જિલ્લા કક્ષાના અધિકારીઓને સૂચના આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઈડ થઈ છે. અહીં ખતરો હજુ પણ વધુ છે. તેથી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યની તમામ શાળાઓ બંધ રહેશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે ભૂસ્ખલન અને પૂરના કારણે ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ મૃત્યુઆંક વધી ગયો હતો. રવિવારથી રાજ્યમાં ભારે વરસાદને કારણે શિમલાના સમર હિલ, કૃષ્ણા નગર અને ફાગલી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસમાં 71નાં મોત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 71 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ એ પર્વત જેવો પડકાર છે. હિમાચલ યુનિવર્સિટીએ 19 ઓગસ્ટ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિમલામાં સમર હિલ પાસે શિવ મંદિરના કાટમાળમાંથી અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેની સાથે વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા 57 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે. રાજ્યમાં લગભગ 800 રસ્તાઓ બ્લોક છે અને 24 જૂનથી ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં 7,200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ કેન્દ્રને હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને ક્ષતિગ્રસ્ત માળખાના રાહત અને સમારકામ માટે રૂ. 2,000 કરોડનું ભંડોળ મુક્ત કરવા વિનંતી કરી છે. 

રવિવારથી હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સમર હિલ, કૃષ્ણા નગર અને ફાગલીમાં ભૂસ્ખલનમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે, જ્યારે આજે સવારે ફરીથી સમર હિલમાં અન્ય એક ભૂસ્ખલનની જાણ થઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે સમર હિલના કાટમાળમાંથી 13, ફાગલીમાંથી પાંચ અને કૃષ્ણ નગરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. સોમવારે તૂટી પડેલા મંદિરના કાટમાળમાં અન્ય કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

હિમાચલ પ્રદેશમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે એક શિમલામાં અને એક કાંગડામાં. આ ઉપરાંત એરફોર્સ, આર્મી અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ પણ શિમલામાં બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.