સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્ર પહેલા કોંગ્રેસની સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક બોલાવી

કોંગ્રેસ સંસદીય દળ (CCP)ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્ર પહેલા મંગળવારે સાંજે 5 વાગ્યે કોંગ્રેસની સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક બોલાવી છે. આ બેઠકનો હેતુ સંસદના વિશેષ સત્રની યોજના પર ચર્ચા કરવાનો છે, જે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. આ બેઠકમાં સંસદના વિશેષ સત્રમાં ઉઠાવવામાં આવનારા પ્રશ્નો અને મુદ્દાઓને ઉકેલવા માટે કોંગ્રેસની યોજના […]

Share:

કોંગ્રેસ સંસદીય દળ (CCP)ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્ર પહેલા મંગળવારે સાંજે 5 વાગ્યે કોંગ્રેસની સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક બોલાવી છે. આ બેઠકનો હેતુ સંસદના વિશેષ સત્રની યોજના પર ચર્ચા કરવાનો છે, જે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. આ બેઠકમાં સંસદના વિશેષ સત્રમાં ઉઠાવવામાં આવનારા પ્રશ્નો અને મુદ્દાઓને ઉકેલવા માટે કોંગ્રેસની યોજના પર ચર્ચા થશે. 

વિપક્ષી નેતાઓને સોનિયા ગાંધીનું તેડુ

આ ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવા સ્થાપિત ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (ઈન્ડિયા) સાથે જોડાયેલા સંસદસભ્યોની એક અલગ બેઠક બોલાવી છે. આ ઘટનાક્રમો પર બોલતા, કેસી વેણુગોપાલે કહ્યું, “મલ્લિકાર્જુન ખડગે એ સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના સાંસદોની બેઠક પણ બોલાવી હતી.” એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ બેઠકમાં આગામી સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે.

એક અહેવાલ મુજબ, નવી રચાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની પ્રથમ બેઠક 16 સપ્ટેમ્બરે, તેલંગાણાના હૈદરાબાદમાં થવાની છે. બીજા દિવસે 17મી સપ્ટેમ્બરે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં તમામ CWC સભ્યો, PCC પ્રમુખો અને CLP નેતાઓ હાજર રહેશે. જોકે આ બેઠકમાં સોનિયા ગાંધી નેતૃત્વ કરે તેવી સંભાવના છે.

16 સપ્ટેમ્બરની સાંજે, હૈદરાબાદમાં અથવા તેની આસપાસ એક વિશાળ જાહેર રેલી યોજવામાં આવશે, જે દરમિયાન કોંગ્રસ તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે “5 ગેરંટી” જાહેર કરશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ, CPPના અધ્યક્ષ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસ પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન સંસદના બંને ગૃહોના સત્રની જાહેરાત કરી હતી. લોકસભા અને રાજ્યસભાના સચિવાલયો દ્વારા જણાવાયા મુજબ આ સત્રમાં પ્રશ્નકાળ અથવા ખાનગી સભ્યોના કામકાજનો સમાવેશ કરવામાં આવશે નહીં. સંસદના વિશેષ સત્રમાં પાંચ બેઠકોનો સમાવેશ થશે, અને સભ્યોને કામચલાઉ કેલેન્ડર વિશે અલગથી માહિતી પ્રાપ્ત થશે.

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સક્રિયપણે તેના પ્રયત્નોનું સંકલન કરી રહ્યું છે અને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સહિત વિવિધ મોરચે ભારતીય જનતા પાર્ટી (BJP) સામે એકીકૃત મોરચો રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓએ તેમની સાથે અગાઉથી પરામર્શ કર્યા વિના અથવા બિઝનેસ એડવાઈઝરી કમિટીને જાણ કર્યા વિના સંસદના વિશેષ સત્રની જાહેરાત કરવા બદલ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની ટીકા કરી છે.

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે આઠ સભ્યોની સમિતિની સ્થાપના કરી હતી. સમિતિનો આદેશ ભારતમાં એકસાથે ચૂંટણી યોજવા માટે મૂલ્યાંકન અને ભલામણો પ્રદાન કરવાનો છે. આ જાહેરાત સંસદના વિશેષ સત્રની ઘોષણા પછી તરત જ કરવામાં આવી હતી. જો કે, સરકારે સંસદના વિશેષ સત્ર દરમિયાન સંબોધિત કરવામાં આવનાર ચોક્કસ મુદ્દાઓ જાહેર કર્યા નથી.