આ 5 ખોરાક તમારા રક્ત પરિભ્રમણને સુધારવા માટે ઉત્તમ પુરવાર થશે

લોહી અને ઓક્સિજન દરેક અંગ સુધી પહોંચે અને તમારું મગજ સારી રીતે કામ કરે તેની ખાતરી કરવા માટે સારું રક્ત પરિભ્રમણ અને પ્રવાહ મહત્વપૂર્ણ છે. આજે આપણે એવા ખોરાકની ચર્ચા કરીશું કે જે તેને સુધારવામાં મદદ કરી શકે છે અને તમને તંદુરસ્ત રાખી શકે છે. શરીરમાં રક્ત પરિભ્રમણ ચેપ સામે લડવા, શરીરના દરેક ભાગમાં ઓક્સિજન […]

Share:

લોહી અને ઓક્સિજન દરેક અંગ સુધી પહોંચે અને તમારું મગજ સારી રીતે કામ કરે તેની ખાતરી કરવા માટે સારું રક્ત પરિભ્રમણ અને પ્રવાહ મહત્વપૂર્ણ છે. આજે આપણે એવા ખોરાકની ચર્ચા કરીશું કે જે તેને સુધારવામાં મદદ કરી શકે છે અને તમને તંદુરસ્ત રાખી શકે છે.

શરીરમાં રક્ત પરિભ્રમણ ચેપ સામે લડવા, શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડવા, મગજની સારી તંદુરસ્તી માટે અને તમારી એકંદર સુખાકારીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમે તમારા શરીરમાં લોહીનો પ્રવાહ અને પરિભ્રમણને સુધારવા માંગતા હોવ, આ ખોરાકને સામેલ કરી શકે છો.

દાડમ 

દાડમમાં પોલીફેનોલ એન્ટીઑકિસડન્ટ્સ અને નાઈટ્રેટ્સની માત્રા વધુ હોય છે, જે શક્તિશાળી વાસોડિલેટર છે જેથી રક્તવાહિનીનુ સંકોચન ઘટે છે અને રક્તવાહિનીમાં રક્તનો પ્રવાહ વધુ સારી રીતે થઈ શકે છે.  દાડમનો રસ કે તેના દાણા ખાવાથી તેમજ તેને કોઈ વાનગીમાં પણ નાખીને તમે લઈ શકો છો. દાડમના  સેવનથી  આપણાં શરીરમાં લોહીનાં પ્રવાહમાં સુધારો થઈ શકે છે.

બીટ 

બીટ નાઈટ્રેટ્સથી ભરપૂર હોય છે, જે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડમાં રૂપાંતરિત થઈ શકે છે. નાઈટ્રિક ઑકસાઈડ રક્ત વાહિનીઓને આરામ અને વિસ્તરણ કરવામાં મદદ કરે છે, જેનાથી પરિભ્રમણમાં સુધારો થાય છે. જો બીટનું સેવન કોઈપણ રીતે કરવામાં આવે તેમ તમે તેનો રસ કાઢીને લઈ શકો અથવા તમે બનાવેલા સૂપમાં ઉમેરો. તેના છીણને વાનગીમાં નાખી તેનું સેવન કરી શકો છો. 

લીલા શાકભાજી 

પાલક અને કરમ સાગ જેવા પાંદડાવાળા લીલા શાકભાજી નાઈટ્રેટનાં ઉત્તમ સ્ત્રોત છે. આ સંયોજનો રક્ત વાહિનીઓને વિસ્તૃત કરવામાં મદદ કરે છે, જેનાથી પરિભ્રમણમાં સુધારો થાય છે. લીલા શાકભાજીના માટે અનેક વિકલ્પો છે જે તમે તમારા આહારમાં ઉમેરી શકો છો.  તેમાં માત્ર નાઇટ્રેટ જ નહીં અન્ય વિટામિન્સનો ખજાનો રહેલો છે. 

લસણ 

લસણમાં સલ્ફર સંયોજનો હોય છે, જેમાં એલિસિનનો સમાવેશ થાય છે – જે રક્ત વાહિનીઓના વિસ્તરણને પ્રોત્સાહન આપે છે અને રક્ત પ્રવાહને વધારે છે. ડુંગળી ફ્લેવોનોઈડ એન્ટિઑકિસડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે, જે રક્ત પ્રવાહ વધે ત્યારે તમારી ધમનીઓ અને નસોને પહોળી કરવામાં મદદ કરીને હૃદયના સ્વાસ્થ્ય અને પરિભ્રમણને લાભ આપે છે. તેને કારણે તમારાં હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.

તજ 

તજ એન્ટિઑકિસડન્ટ્સથી સમૃદ્ધ છે, જે ઓક્સિડેટીવ તણાવ અને રક્ત વાહિનીઓને નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. સ્વસ્થ રક્તવાહિનીઓ શ્રેષ્ઠ પરિભ્રમણ માટે જરૂરી છે.