કાર્બોહાઈડ્રેટ્સને શા માટે અને કેવી રીતે તમારા આહારમાં સામેલ કરવા જોઈએ તે જાણો

કાર્બોહાઈડ્રેટ્સ એ પ્રોટીન અને ફેટ જેવા જરૂરી માઈક્રોન્યુટ્રિઅન્ટ્સમાંનું એક છે. આ કાર્બનિક સંયોજનોમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન પરમાણુ હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ ઊર્જાનું મહત્વનું સ્ત્રોત છે, કાર્બોહાઈડ્રેટ્સને તમારા આહારમાં સામેલ કરવાથી શારીરિક કાર્યો કરવામાં મદદ કરે છે. તેઓ બ્લડ સુગરને જાળવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, કાર્બોહાઈડ્રેટ્સ કોષોની રચનામાં પણ ફાળો આપે છે અને તે […]

Share:

કાર્બોહાઈડ્રેટ્સ એ પ્રોટીન અને ફેટ જેવા જરૂરી માઈક્રોન્યુટ્રિઅન્ટ્સમાંનું એક છે. આ કાર્બનિક સંયોજનોમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન પરમાણુ હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ ઊર્જાનું મહત્વનું સ્ત્રોત છે, કાર્બોહાઈડ્રેટ્સને તમારા આહારમાં સામેલ કરવાથી શારીરિક કાર્યો કરવામાં મદદ કરે છે. તેઓ બ્લડ સુગરને જાળવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, કાર્બોહાઈડ્રેટ્સ કોષોની રચનામાં પણ ફાળો આપે છે અને તે અનાજ અને ફળોથી લઈને શાકભાજી અને ડેરી ઉત્પાદનોમાંથી મળી શકે છે.

શા માટે તમારા આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ ઉમેરવા જોઈએ?

કાર્બોહાઈડ્રેટ્સ એ આહારના મૂળભૂત ઘટક છે જે શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે. કાર્બોહાઈડ્રેટ ઊર્જાના પ્રાથમિક સ્ત્રોત તરીકે કામ કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ ગ્લુકોઝમાં ફેરવાય છે, જે કોષો, પેશીઓ અને શરીરના અંગોને ઊર્જા આપે છે. કાર્બોહાઈડ્રેટ્સ એકાગ્રતા અને માનસિક સતર્કતા વધારવામાં મદદ કરે છે. કાર્બોહાઈડ્રેટ્સને તમારા આહારમાં સામેલ કરવાથી પાચન શક્તિમાં વધારવામાં મદદ કરે છે.

કયા આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે?

અનાજ: બ્રેડ, પાસ્તા, ચોખા, ઓટ્સ અને ધાન્ય

કઠોળ: દાળ અને વટાણા

ફળો: સફરજન, કેળા, નારંગી અને બેરી

શાકભાજી: બટાકા, ગાજર, બ્રોકોલી અને પાલક

ડેરી ઉત્પાદન: દૂધ અને દહીં

ખાંડ અને મીઠાઈઓ: કેન્ડી, સોડા 

શું કાર્બોહાઈડ્રેટ્સને તમારા આહારમાં સામેલ કરવાથી વજન ઘટાડી શકાય?

કાર્બોહાઈડ્રેટ્સને તમારા આહારમાં સામેલ કરવાથી વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે કેલરી બર્ન તેમજ કેલરીનો ઓછો વપરાશ કરવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ્સ ઊર્જાનો સ્ત્રોત છે અને તે સંતુલિત આહારનો ભાગ બની શકે છે. આખા અનાજ, ફળો અને શાકભાજી જેવા જટિલ કાર્બોહાઈડ્રેટ્સને આહારમાં સામેલ કરવાથી, જે ફાઈબર અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, ભૂખને નિયંત્રિત કરવામાં અને સતત ઊર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે.

પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ ન ખાવાથી શું થાય?

જો તમે પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ તમારા આહારમાં ન લો, તો તમારું શરીર અનેક પરિણામો અનુભવી શકે છે. કાર્બોહાઈડ્રેટ્સ એ શરીર માટે ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે, અને જ્યારે તે અપૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો થાક, નબળાઈ તરફ દોરી શકે છે. લાંબા સમય સુધી કાર્બોહાઈડ્રેટ્સની ઉણપ ચયાપચય અને હોર્મોનલ સંતુલન પર નકારાત્મક અસર કરી શકે છે. એકંદર આરોગ્ય અને ઊર્જાના સ્તરને જાળવવા માટે તમારા આહારમાં યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સને સામેલ કરવું જરૂરી છે.

કાર્બોહાઈડ્રેટ્સના વધુ પડતા વપરાશની આડઅસરો

કાર્બોહાઈડ્રેટ્સનો વધુ પડતો વપરાશ, ખાસ કરીને સરળ કાર્બોહાઈડ્રેટ્સ, વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. ખાંડયુક્ત ખોરાક અને પીણાંના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે અને સ્થૂળતા, ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધી શકે છે. હાઈ-કાર્બોહાઈડ્રેટ આહાર બ્લડ સૂગરના સ્તરમાં વધારો કરે છે, જે મૂડ સ્વિંગ અને થાક તરફ દોરી જાય છે.