Navratri 2023: જાણો આ વર્ષે કઈ 6 રાશિના લોકો પર રહેશે માતા દુર્ગાની વિશેષ કૃપા

Navratri 2023: ગત તા. 15મી ઓક્ટોબરથી માતા દુર્ગાની આરાધના માટેના તહેવાર નવરાત્રી (Navratri 2023)નો આરંભ થઈ ચુક્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ નવરાત્રી દરમિયાન 6 રાશિ (Zodiac Signs)ના લોકોને વિશેષ લાભ રહેશે. તિરૂપતિના એક પ્રતિષ્ઠિત જ્યોતિષીએ 24મી ઓક્ટોબર, દશેરાના રોજ નવરાત્રીના તહેવારની સમાપ્તિ સુધીમાં કઈ રાશિના જાતકોને વિશેષ લાભ રહેશે અને તેમને સુખ, સમૃદ્ધિ મળશે […]

Share:

Navratri 2023: ગત તા. 15મી ઓક્ટોબરથી માતા દુર્ગાની આરાધના માટેના તહેવાર નવરાત્રી (Navratri 2023)નો આરંભ થઈ ચુક્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ નવરાત્રી દરમિયાન 6 રાશિ (Zodiac Signs)ના લોકોને વિશેષ લાભ રહેશે. તિરૂપતિના એક પ્રતિષ્ઠિત જ્યોતિષીએ 24મી ઓક્ટોબર, દશેરાના રોજ નવરાત્રીના તહેવારની સમાપ્તિ સુધીમાં કઈ રાશિના જાતકોને વિશેષ લાભ રહેશે અને તેમને સુખ, સમૃદ્ધિ મળશે તે માટે જણાવ્યું છે. 

જાણો Navratri 2023 કોને ફળશે?

આ વખતે શારદીય નવરાત્રી દરમિયાન અહીં દર્શાવેલી 6 રાશિઓના જાતકોને વિશેષ લાભ થવાના યોગ બની રહ્યા છે.

વધુ વાંચો: નવરાત્રીમાં તમારા ઘરને શણગારવા માટે આ ટિપ્સ અપનાવો 

સિંહ રાશિ (Leo)

આ નવરાત્રી દરમિયાન સિંહ રાશિમાં જન્મેલા જાતકોની આર્થિક સુખાકારીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. સિંહ રાશિના જાતકોના વેપાર-ધંધામાં વધારો થશે અને વ્યાવસાયિક ક્ષેત્રે તેઓ સફળતાના નવા શિખરો સર કરશે. નવરાત્રી દરમિયાન સખત મહેનત કરવાથી ઈચ્છિત પરિણામો મળશે અને નવદંપતીઓને હૃદયસ્પર્શી સમાચારની પ્રાપ્તિ થશે. 

કન્યા રાશિ (Virgo)

આ નવરાત્રી દરમિયાન કન્યા રાશિના જાતકોની આવકમાં વધારો થવાની સાથે જ તેમના ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે. કન્યા રાશિના જાતકોના બેંક બેલેન્સમાં વધારો થશે તથા તેમને જીવનસાથી તરફથી અવિશ્વસનીય સમર્થન મળશે જેથી જીવનમાં અને અંગતજીવનમાં પણ સુખાકારી અનુભવાશે. 

ધનુ રાશિ (Sagittarius)

નવરાત્રી (Navratri 2023)ના આ શુભ દિવસો દરમિયાન ધનુ રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને તેઓ વ્યાવસાયિક સફળતાના પણ સાક્ષી બનશે. નોકરિયાતોને અનેરી તકોની પ્રાપ્તિ થશે જે તેમની કારકિર્દીને આગળ ધપાવશે અને ઉપરી અધિકારીઓ તેમના કામથી ખૂબ જ સંતોષ અનુભવશે. 

વધુ વાંચો:સ્કંદમાતાને રાજી કરવા કેળામાંથી બનાવો આ ફરાળી કેક

મકર રાશિ (Capricorn)

આ નવરાત્રી દરમિયાન મકર રાશિના જાતકોને વ્યાવસાયિક ક્ષેત્રે પ્રમોશનની પ્રાપ્તિ થઈ શકે છે. જોકે તેમણે કાર્ય સ્થળે થતી રાજનીતિ અને ભૂલોથી સાવધ રહેવું પડશે અને તેમની લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળશે. ધીરજથી કામ કરવાથી વેપાર સહિતના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાથે લાભની પ્રાપ્તિ થશે. ઉપરાંત લગ્નજીવનમાં પણ સુખ મળશે. 

મીન રાશિ (Pisces)

શારદીય નવરાત્રી દરમિયાન મીન રાશિ (Zodiac Signs)ના જાતકોને વ્યાવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા હાંસલ થશે જેથી નાણાકીય સ્થિરતા પણ મળશે. પરિવારના સહયોગથી વેપાર સહિતના ક્ષેત્રે પ્રગતિ મળશે. નોકરિયાતો માટે પણ શુભ સમયની શરૂઆત થઈ રહી છે જે જીવનને એક સકારાત્મક દિશામાં આગળ લઈ જશે. 

મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકો માટે નવરાત્રી તેમના સંબંધોમાં સુધારો લઈને આવી છે. નવરાત્રી દરમિયાન મેષ રાશિના જાતકોને તેમની પ્રિય વ્યક્તિ સાથેના સંબંધમાં વધુ મજબૂતાઈ પ્રદાન થશે. ઉદ્યોગ સાહસિકોને નવરાત્રી દરમિયાન નવા સંપર્કો સ્થાપિત કરી વિકાસના પંથે આગળ જવામાં મદદ મળશે. 

આમ નવરાત્રી દરમિયાન અહીં દર્શાવેલી 6 રાશિઓ (Zodiac Signs)ના જાતકો તેમના અંગત અને વ્યાવસાયિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરશે.