Ram Temple: અયોધ્યામાં રામ મંદિરમાં પૂજારીના પદ માટે 3 હજાર લોકોએ અરજી કરી

20 ઉમેદવારોની પૂજારીના પદ માટે પસંદગી થશે

Courtesy: Image: Twitter

Share:

 

Ram Temple: જાન્યુઆરી 2024માં રામ મંદિર (Ram Temple)ની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામ મંદિરના પૂજારીના પદ માટે 3000 ઉમેદવારોએ અરજી કરી છે. તેમાંથી 200 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. મકરસંક્રાંતિ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. 

 

ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ સોમવારે જણાવ્યું હતું કે 200 ઉમેદવારોને તેમની યોગ્યતાના આધારે ઈન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટ દ્વારા તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મુખ્યાલય કારસેવક પુરમ ખાતે તેમનો ઈન્ટરવ્યુ યોજાઈ રહ્યો છે. 

 

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, વૃંદાવનના જયકાંત મિશ્રા અને અયોધ્યાના બે મહંત મિથિલેશ નંદિની શરણ અને સત્યનારાયણ દાસની ત્રણ સભ્યોની પેનલ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહી છે.

તમામ ઉમેદવારો તાલીમમાં ભાગ લઈ શકશે

આ 200 ઉમેદવારોમાંથી 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને છ મહિનાની તાલીમ બાદ રામ મંદિર (Ram Temple)ના પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેમને વિવિધ પોસ્ટ્સ પર નિયુક્ત કરવામાં આવશે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીએ જણાવ્યું હતું કે જેઓ પસંદગી પામ્યા નથી તેઓ પણ તાલીમમાં ભાગ લઈ શકશે, તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

ઉમેદવારોની તાલીમ ટોચના સંતો દ્વારા તૈયાર કરાયેલા ધાર્મિક અભ્યાસક્રમ પર આધારિત હશે. તાલીમ દરમિયાન, ઉમેદવારોને મફત ભોજન અને રહેવાની સુવિધા મળશે અને તેમને 2,000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે.

 

ગોવિંદ દેવ ગીરીએ જણાવ્યું હતું કે ઈન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારોને વિવિધ પ્રકારની પૂજા અંગેના મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દાખલા તરીકે, સંધ્યા વંદન શું છે, તેની પદ્ધતિ અને મંત્રો કયા છે, વિશેષ મંત્રો કયા છે, ભગવાન રામની પૂજાને લગતા કર્મકાંડ વગેરે અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Ram Templeમાં પૂજા પદ્ધતિ રામાનંદીય સંપ્રદાય અનુસાર હશે

અયોધ્યામાં બનેલા રામ મંદિર (Ram Temple)માં પૂજા કરવાની પદ્ધતિ પણ હાલની પદ્ધતિથી અલગ હશે. આ રામાનંદીય સંપ્રદાય અનુસાર હશે. આ પૂજા માટે ખાસ અર્ચના કરવામાં આવશે. રામજન્મભૂમિ સંકુલમાં સ્થિત અસ્થાયી મંદિરમાં, અત્યાર સુધી અયોધ્યાના અન્ય મંદિરોની જેમ સામાન્ય રીતથી પૂજા કરવામાં આવે છે. 

 

તેમાં ભગવાનને ભોજન અર્પણ, નવા વસ્ત્રો પહેરવા, સામાન્ય પૂજા અને આરતીનો સમાવેશ થાય છે. પરંતુ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાના અભિષેક પછી આ બધું બદલાઈ જશે. 

 

રામ મંદિર (Ram Temple)ની પ્રાણ પ્રતિષ્ઠા પછી આ રામાનંદીય પરંપરા મુજબ કરવામાં આવશે. મુખ્ય પૂજારી, સહાયક પૂજારી અને સેવકો માટે રામાનંદીય પૂજા પદ્ધતિમાં રામલલાની પૂજા કરવાની જોગવાઈ રહેશે. જેમાં વસ્ત્રો પહેરવાની રીત સહિત પૂજાની ઘણી બાબતો નક્કી કરવામાં આવશે. રામલલાની સ્તુતિ કરવા માટે નવું પુસ્તક હશે. જેની રચના કરવામાં આવી છે.