'મુસ્લિમ દેશો નિષ્ફળ ગયા, હવે PM મોદી જ લાવી શકે છે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત'

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટૂંક સમયમાં ત્રણ મહિના પૂરા થશે, પરંતુ આ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીની પીએમ મોદીને વિનંતી
  • 'મુસ્લિમ દેશો યુદ્ધને ખતમ કરવામાં નિષ્ફળ, પીએમ મોદી જ યુદ્ધનો અંત લાવી શકે છે'

દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ શુક્રવારે કહ્યું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં મુસ્લિમ દેશો તેમની જવાબદારીઓ નિભાવી શક્યા નથી. અહેમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલ પર રાજદ્વારી દબાણ લાવીને યુદ્ધ ખતમ કરવા વિનંતી કરી છે. યુદ્ધમાં પહેલાથી જ 21,300થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેનાથી માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. એટલું જ નહીં ગાઝાની એક ચોથાઈ વસ્તી ભૂખથી મરી રહી છે.

એક નિવેદનમાં, બુખારીએ કહ્યું, 'પેલેસ્ટિનિયન મુદ્દો એવા સ્તરે પહોંચી ગયો છે જ્યાં "બે-રાજ્ય સિદ્ધાંત"ના આધાર પર સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સંબંધિત ઠરાવો હેઠળ આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ જરૂરી છે.

મુસ્લિમ દેશો નિષ્ફળ
અહેમદ બુખારીએ વધુમાં કહ્યું કે, 'મુસ્લિમ વિશ્વ આ સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યું નથી અને જે પગલાં લેવા જોઈએ તે નથી લઈ રહ્યા અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અંતે, હું આશા રાખું છું કે મારા દેશના વડાપ્રધાન યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી દબાણ લાગુ કરશે અને ઇઝરાયેલના વડાપ્રધાન સાથેના તેમના અંગત સંબંધોના આધારે મુદ્દાઓને ઉકેલશે.

ભારતે આ મહિનાની શરૂઆતમાં યુએન જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તેમજ તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરતા ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

હમાસના લડવૈયાઓએ 1200 લોકોની હત્યા કરી
તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો, આ હુમલામાં લડવૈયાઓએ લગભગ 1200 ઈઝરાયેલના લોકોને મારી નાખ્યા હતા. આ સિવાય 240 લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા મૃતદેહો પણ મળી આવ્યા છે. આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે.