Gurpatwant Singh Pannun વિરુદ્ધ NIAએ દાખલ કર્યો કેસ, એર ઈન્ડિયાના મુસાફરોને આપી હતી ધમકી

ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો

Courtesy: Image: Twitter

Share:

 

Gurpatwant Singh Pannun: ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. આ દરમિયાન, NIA એ 20 નવેમ્બરના રોજ શીખ ફોર જસ્ટિસ (SFJ) ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun) વિરુદ્ધ એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો.

NIAએ Gurpatwant Singh Pannun વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો

NIA એ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun) વિરુદ્ધ IPCની કલમ 120B, 153A અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. આ સિવાય ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની કલમ 10, 13, 16, 17, 18, 18B અને 20 હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

 

વાસ્તવમાં ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો હતો. જેમાં તેણે 19મી નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને ધમકી આપી હતી.

 

ધમકીનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વધારાઈ

NIAએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun)એ 4 નવેમ્બરે એક વીડિયો જાહેર કર્યો હતો. આમાં તે શીખોને કહી રહ્યો છે કે તેઓ 19 નવેમ્બરથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરે કારણ કે તેમનો જીવ જોખમમાં હશે. 

 

NIAએ વધુમાં જણાવ્યું હતું કે ગુરપતવંત સિંહ પન્નુ ભારતમાં આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે ખોટા નિવેદનો ફેલાવી રહ્યો છે.  

 

આ પછી દિલ્હી અને પંજાબના એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવી હતી. મુસાફરો અને તેમના સામાનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં આતંકી પન્નુ (Gurpatwant Singh Pannun)એ એર ઈન્ડિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.  

દિલ્હી અને પંજાબના એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી 

ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun)ની ધમકી બાદ, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ પંજાબ અને દિલ્હીના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ માટે વધારાની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો હતો. 

 

સુરક્ષા કારણોસર, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પંજાબના એરપોર્ટ પર એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ માટે 100% SLPC (સેકન્ડરી સ્ટેરવે પોઈન્ટ ચેક), IGI (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ)ના ટર્મિનલ બિલ્ડીંગમાં મુલાકાતીઓની એન્ટ્રી અને મુલાકાતીઓની પ્રવેશ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

 

તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે મંત્રી સ્તરીય વાટાઘાટો બાદ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કેનેડાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે. તમે તાજેતરમાં ગુરપતવંત સિંહ પન્નુનો વીડિયો જોયો જ હશે. આ ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી કરે છે. અમે અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ કરી છે. નોંધનીય છે કે ભારત કેનેડા સરકાર પાસે પન્નુ અને અન્ય ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.