બુમરાહ-સૂ્ર્યકુમાર બાદ મહોમ્મદ સિરાજનું પણ દર્દ છલકાયુંઃ જાણો શા માટે આ ક્રિકેટર્સના દિલ તૂટ્યા?

મહોમ્મદ સિરાજે સ્ટોરીમાં કંઈ લખ્યું તો નથી પણ 5 જેટલા તૂટેલા દિલની ઈમોજી પોસ્ટ કરી છે

Share:

હાઈલાઇટ્સ

  • જસપ્રિત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સની ટીમથી નારાજ છે
  • રોહિતને MI ના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ, ઉથલ-પાથલ!

ભારતીય ક્રિકેટ ટીમના જાંબાઝ ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહોમ્મદ સિરાજે સ્ટોરીમાં કંઈ લખ્યું તો નથી પણ 5 જેટલા તૂટેલા દિલની ઈમોજી પોસ્ટ કરી છે. જો કે, કયા કારણે સિરાજે આ સ્ટોરી શેર કરી એ સમજાતું નથી. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ અને મહોમ્મદ સિરાજ બંન્નેના ફેન્સ સ્ટોરી પાછળનું કારણ જાણવા અધીરા બન્યા છે. 

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા IPL 2024 માટે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને લઈને ઉથલ-પાથલ મચી ગઈ છે. ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આ નિર્ણય નથી ગમ્યો જેના કારણે તેણે પર સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે પણ મુંબઈ ઈન્ડિયન્સને ઈન્સ્ટાગ્રામ પર અને ટ્વીટર પર અનફોલો કરી દિધી હતી. 

બાદમાં ટી-20ના બાદશાહ ગણાતા સૂર્યકુમાર યાદવે પણ બ્રોકન હાર્ટના ઈમોજી સ્ટોરીમાં મૂક્યા હતા. ત્યારે ક્રિકેટ ફેન્સ માની રહ્યા હતા કે, રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવ્યો એટલે સૂર્યકુમાર નારાજ છે. 

હવે કદાચ કોઈને એવું લાગે કે, મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બદલાયા અને સિરાજ તો RCB ની ટીમમાંથી રમે છે તો પછી તેનું દિલ શાં માટે તૂટે? તો આપને જણાવી દઈએ કે, રોહિત શર્મા સાથે સિરાજને સારો લગાવ છે. સિરાજ ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં રમે છે અને રોહિત શર્મા સિરાજને ખૂબજ સપોર્ટ કરે છે. અને કદાચ એટલા માટે જ રોહિત શર્માને કેપ્ટન તરીકે હટાવવાથી સિરાજ નારાજ હોઈ શકે છે.