T20I: સૂર્યકુમારની બેટિંગને લઈ પ્રસિદ્ધ કૃષ્ણાએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન

આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે 5.5 ઓવરમાં 77 રનોની ભાગીદારી થઈ હતી

Courtesy: Twitter

Share:

T20I: દિગ્ગજ બેટ્સમેન સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીને લઈ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ખૂબ મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેમણે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીની ખૂબ જ પ્રશંસા કરી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાના મતે સૂર્યકુમાર યાદવ જે રીતે બેટિંગ કરે છે, તેમની કેપ્ટન્સી પણ બિલકુલ એવી જ છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ તિરૂવનંતપુરમમાં રમાયેલા બીજા ટી20 (T20I) મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 44 રનથી હરાવ્યું છે. 

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવર્સમાં 4 વિકેટના નુકસાન પર 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 9 વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે આ મેચમાં ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 25 બોલમાં 9 ચોગ્ગા અને 2 છક્કાની મદદથી 53 રન બનાવ્યા હતા અને ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. 


T20Iમાં ભારત 2-0થી આગળ
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની આ સીરિઝમાં આ સતત બીજી જીત છે અને ટીમ હવે 2-0થી આગળ છે. ભારતીય ટીમે 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી જીત છે. આ જીત સાથે ટીમે 5 મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 2-0ની લીડ મેળવી લીધી છે.


સૂર્યકુમારની કેપ્ટન્સીની પ્રશંસા
ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, "જે રીતે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરે છે, કેપ્ટન્સી પણ એ જ રીતે કરે છે. તેઓ પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ મુકે છે. અમે જે કરવા ઈચ્છીએ તેને તેઓ સપોર્ટ આપે છે અને ભૂલ થાય તો પણ ખેલાડીઓ સાથે ઉભા રહે છે. તેઓ સંપૂર્ણ આઝાદી આપે છે કે, ખેલાડીઓ પોતાની જાતને સંપૂર્ણપણે એક્સપ્રેસ કરી શકે. ટીમમાં સૌ કોઈને એકબીજા પર વિશ્વાસ છે."

તમને જણાવી દઈએ કે, આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે 5.5 ઓવરમાં 77 રનોની ભાગીદારી થઈ હતી. બીજી વિકેટ માટે ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને તાબડતોબ 87 રન જોડ્યા હતા. ઈશાન કિશન પણ હાફ સેન્ચ્યુરી ઈનિંગ રમ્યો હતો. તેમે 32 બોલમાં 52 રન બનાવ્યા હતા જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. 


યશસ્વીની અડધી સદી
યશસ્વી જયસ્વાલ હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી  ટી20 (T20I) સીરિઝમાં સારું પ્રદર્શન આપી રહ્યો છે. બીજી મેચમાં યશસ્વી જયસ્વાલે ધમાકેદાર અડધી સદી ફટકારી છે. જોકે પ્રથમ મેચમાં પણ તેનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું.