‘કેનેડા ચા રાજા’ મુંબઈથી ભગવાન ગણેશની 16 ફૂટની મૂર્તિ ટોરન્ટો મોકલાઈ

ગણપતિ બાપ્પા પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. પ્રથમ વખત 16 ફૂટની મૂર્તિ મુંબઈથી કેનેડાના ટોરન્ટો ખાતે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મોકલવામાં આવી છે. “કેનેડા ચા રાજા” તરીકે ઓળખાતી, મૂર્તિને ટોરોન્ટોમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો, બ્લુ પીકોક એન્ટરટેઈનમેન્ટ નામની ઈવેન્ટ એજન્સીને મોકલવામાં આવી છે. તેઓ આ વર્ષે શહેરના અધિકારીઓની મદદથી મોટા પાયે તહેવાર ઉજવવાનું આયોજન કરી રહ્યા […]

Share:

ગણપતિ બાપ્પા પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. પ્રથમ વખત 16 ફૂટની મૂર્તિ મુંબઈથી કેનેડાના ટોરન્ટો ખાતે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મોકલવામાં આવી છે. “કેનેડા ચા રાજા” તરીકે ઓળખાતી, મૂર્તિને ટોરોન્ટોમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો, બ્લુ પીકોક એન્ટરટેઈનમેન્ટ નામની ઈવેન્ટ એજન્સીને મોકલવામાં આવી છે. તેઓ આ વર્ષે શહેરના અધિકારીઓની મદદથી મોટા પાયે તહેવાર ઉજવવાનું આયોજન કરી રહ્યા છે.

લાલબાગમાં અવિઘ્ના પાર્કની સામે કલાસાગર આર્ટસ છે, જેનું સંચાલન 27 વર્ષીય નિખિલ ખાટુ, દ્વારા કરવામાં આવ્યું છે, જે ટોરન્ટોમાં ગણેશ મૂર્તિ મોકલનાર પ્રથમ શિલ્પકાર બન્યા છે. જે મૂર્તિ ટોરન્ટોમાં મોકલાઈ છે તે ત્યાં હવે કેનેડા ચા રાજા તરીકે ઓળખાશે.

નિખિલ ખાટુએ કહ્યું, “અમે રાત્રે 11 વાગ્યે ગણેશની મૂર્તિ પેક કરી હતી અને ગઈકાલે સવારે 6 વાગ્યા સુધીમાં લોડ કરવામાં આવી હતી. અમે તેને ફ્લેટ ટ્રેક કન્ટેનર દ્વારા કેનેડામાં મોકલી છે.”

પ્રથમ વખત આટલી ઊંચી મૂર્તિ વિદેશ મોકલાઈ

કલાસાગર આર્ટસ અંધેરીચા રાજા અને ફોર્ટચા રાજા જેવી સાર્વજનિક ગણેશની મૂર્તિઓ બનાવવા માટે જાણીતું છે.

નિખિલ ખાટુએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચાર ફૂટ કે છ ફૂટ ઊંચી મૂર્તિઓ વિદેશમાં મોકલવામાં આવતી હતી, પરંતુ આટલી ઊંચી મૂર્તિ વિદેશમાં પહેલીવાર મોકલવામાં આવી છે.

નિખિલ ખાટુએ કહ્યું, “તેઓ મૂર્તિનું વિસર્જન કુદરતી જળાશયમાં નહીં, પરંતુ કૃત્રિમ તળાવમાં કરશે. તેઓ 20×20 ફૂટનું વિશાળ કૃત્રિમ તળાવ બનાવી રહ્યા છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) મૂર્તિને વિસર્જન કરવા માટે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પાણીનું મિશ્રણ કરશે. આ મૂર્તિની થીમ લાલબાગ ચા રાજા જેવી જ રાજા બેઠક સાથે રાજા પોઝની છે.”

કેનેડા ચા રાજા મૂર્તિના ખર્ચનો ખુલાસો કરવામાં આવ્યો નથી, તેમાં શિલ્પ, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ માટેના નાણાંનો સમાવેશ થાય છે. એલપી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મૂર્તિનું શિપિંગ કરવામાં આવ્યું છે.

નિખિલ ખાટુએ કહ્યું, “કેનેડામાં ઘણા હિંદુઓ છે જ્યાં કેટલીક ઘરગથ્થુ મૂર્તિઓ લાવવામાં આવે છે, પરંતુ પ્રથમ વખત ઉજવણી સાર્વજનિક અને આટલા મોટા પાયે થશે. નિખિલ ખાટુએ જણાવ્યું કે તેમને ત્રણ અઠવાડિયા પહેલા મૂર્તિ માટે ઓર્ડર મળ્યો હતો.”

નિખિલ ખાટુ મુંબઈ માટે લગભગ 75-100 સાર્વજનિક મૂર્તિઓ બનાવે છે અને સરેરાશ સાત કલાકારો અને મજૂરો એક મૂર્તિ પર કામ કરે છે.

નિખિલ ખાટુ મુખ્ય કલાકાર છે અને તેમણે કહ્યું કે ફેબ્રિકેશન અને પેકેજિંગ એ મૂર્તિ બનાવવાનો સૌથી મુશ્કેલ ભાગ છે.

નિખિલ ખાટુએ કહ્યું, “પેકેજિંગ માટે, ગણેશની મૂર્તિની ચારેય બાજુઓ પર લાકડાના પાટિયા છે અને તેમાં એરબેગ્સ છે જેથી ગણપતિ બાપ્પાને લાકડાની ફ્રેમની અંદર સુરક્ષિત રાખવામાં આવે. મૂર્તિને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ચારથી પાંચ અઠવાડિયા લાગશે.”  

તેમણે જણાવ્યું, “આ પરંપરાની શરૂઆત મારા દાદા અને પછી મારા પિતા રાજન ખાટુ દ્વારા કરવામાં આવી હતી, જેનું મહામારી દરમિયાન અવસાન થયું હતું. હું પારિવારિક પરંપરાને આગળ ધપાવી રહ્યો છું.” 

નિખિલ ખાટુએ જણાવ્યું કે જો જે ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઈચ્છતા હોય તો સરકારે POP મૂર્તિઓ માટે વૈજ્ઞાનિક વિકલ્પ શોધવો જોઈએ. આ રીતે આપણે પણ વિશાળ મૂર્તિઓ બનાવી શકીશું અને ગણપતિની મૂર્તિઓ માટે મુંબઈ પાસે જે વારસો છે તેને આગળ ધપાવી શકીશું.

નિખિલ ખાટુએ કહ્યું, “અમે POP સિવાય અન્ય કોઈપણ સામગ્રીનો ઉપયોગ કરવા તૈયાર છીએ જે અમને મોટી મૂર્તિઓ બનાવવા માટે સક્ષમ બનાવશે. ઊંચી મૂર્તિ બનાવવાનો યોગ્ય વિકલ્પ હંમેશા આવકાર્ય છે.”